________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. બુદ્ધિશાળી છે. એટલે મને ચિંતા ઓછી છે. તે છતાં દુર્જનો અવસર જોઈને, કામ કરી જાય છે.' મહારાણીએ કહ્યું.
માતાજી, એમ તો કુમાર પોતે મારા કરતાં શુરવીર છે. એ એકલા એક હજાર સુભટોને પહોંચી વળે, એવી એમની શક્તિ છે. ચારે દુષ્ટોને એમણે પછાડી દીધા ને?'
ભલે સિંહ, તું તારા સ્થાને સજાગ બનીને રહેજે.' મહારાણી અંતઃપુરમાં ગયાં. સિંહ સેનકુમારના મહેલના દ્વારે ગોઠવાયો.
૦ ૦ ૦. પંદર દિવસ વીતી ગયા. કુમારના ખભે બાંધેલો પાટો રાજવૈદે ખોલ્યો. ઘાની જગ્યાને સાફ કરી. ઘા રુઝાઈ ગયો હતો. વૈદરાજે મહારાજાને રુઝાયેલો ઘા. બતાવ્યો. મહારાજા રાજી થઈ ગયા. કુમારને કોઈ પીડા થતી ન હતી.
વૈદરાજે કહ્યું: “હવે કુમારને પાટો બાંધવાનો નથી. હવે ઘાની જગ્યા પર વનસ્પતિનો લેપ કરીશ. પંદર દિવસ પછી ઘાનું નામનિશાન નહીં રહે.' વૈદરાજે લેપ કર્યો અને કુમારને વિશ્રામ લેવાનું કહીને, તે ચાલ્યા ગયા.
0 0 0 નગરમાં લોકોને ખબર પડી કે કુમારનો ઘા ક્ઝાઈ ગયો છે. કુમારે નાન કર્યું છે. મહારાજાએ સર્વપ્રથમ કાલઘંટ વગડાવીને, કારાવાસમાંથી કેદીઓને મુક્ત કર્યા. નગરદેવતાઓનું પૂજન કરાવ્યું. દીન-અનાથ-ગરીબોને મહાદાન અપાવ્યું. આનંદભેરી વાગી. નગરવાસી સ્ત્રીપુરુષો શેરીઓમાં બહાર આવી ગયાં. નૃત્ય કરવા લાગ્યા. ગીતગાન કરવા લાગ્યાં. સામંતોએ અને શ્રેષ્ઠીજનોએ કુમારનું અભિવાદન કરી, શ્રેષ્ઠ આભૂષણો ભેટ આપ્યાં, વધામણાં કર્યાં.
બધાના ગયા પછી કુમારે સિંહને બોલાવીને પૂછ્યું : ‘સિંહ, વિષેણકુમારના શા સમાચાર છે?'
“મહારાજકુમાર, વિષેણ વિષાદમાં ડૂબેલો છે. તમને મારી નાખવાની યોજના નિષ્ફળ ગઈ, બે વાર નિષ્ફળ ગઈ, તેથી ખૂબ વ્યાકુળ છે. પોતાના ખંડમાં ગાંડા માણસની જેમ આંટા મારે છે. નથી એ મહારાજ પાસે જતો, નથી પોતાની માતા પાસે જતો! નથી પોતાનાં ઉચિત કાર્યો કરતો. પરિવાર સાથે પણ વાત નથી કરતો. મહેલની બહાર જ નીકળતો નથી. એ જાણે છે કે આખું નગર એને ધિક્કારે છે. આપનાં વધામણાં કરવા આખું નગર ઉમટયું હતું પણ વિષેણ એના ખંડમાં જ ભરાઈને બેઠો હતો.' - સિંહની વાતો સાંભળીને, સેનકુમારના મુખમાંથી “
બિચ્ચારો...' શબ્દ સરી પડ્યો. તેણે મનમાં વિચાર્યું - “મારા સ્નેહની ખાતર પિતાજીએ અને માતાજીએ કુમારને
૧ પર
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only