________________
કાગ્ય શાસ્ત્ર.
सुनतक्रुद्ध वढिविसर सुद्ध बक उठे अतुर अति ॥ सौमित्रि धनुष धनु धनुष कहां रही थकत मा चकत सी वह बालकृस्न भुविपाल तुव रखहु प्रस्न नित तखतसी ॥
પરન્તુ અન્યત્ર અતિવ્યાપ્તિ નિવારણને માટે પ્રસંગમાં કહેલ અપ્રસ્તુત કથામાં રૂઢિ છે. આહીં યોગ અને રૂઢિની મિશ્રિતતાથી પ્રસંગમાં કહેલ અપ્રસ્તુતપ્રશંસારૂપ અર્થને બંધ થાય છે. અપ્રસ્તુત પ્રશંસા નામના ગાર્થમાં પ્રસંગમાં કહેલ આ અંશ આવેલ નથી, પરતુ રૂઢિની મિશ્રિતતાથી પ્રસંગમાં કહેલ અપ્રસ્તુતકથા એટલા અર્થનો બાધ થઈ જાય છે. અને આ અલંકારના સ્વરૂપમાં આથી અતિરિક્ત કેઈ અંશ શેષ નથી. એથી અન્ય લક્ષણ બનાવવાની કાંઈ આવશ્યકતા નથી. નામ રાખવાવાળાની ઈચ્છાનુસાર પ્રસિદ્ધિને રૂઢિ કહે છે. અમે અલંકારના ગરૂઢ નામમાં આ રીતિથી રૂઢિને કહીશું. રૂઢિનું પ્રયોજન અતિવ્યામિ નિવારણને માટે છે, જેને ઉક્ત પ્રકારથી સર્વત્ર સ્વયં ઘટાવી લેવું.
એવું નહી કહેશે કે જેને કોઈના કહેવાથી અથવા કોષથી પાણિગ્રહણ” નામ વિવાહનું છે. એજ પાણિગ્રહણ શબ્દથી વિવાહને સમજશે અથવા તે હાથ પકડવાનેજ સમજશે ઈત્યાદિ. તેથી નામજ લક્ષણ ત્યારે બની શકે છે કે જ્યારે જે નામને અર્થ છે, એમાં જ તમામ વાત આવી જાય અને ઉપરાંત કાંઈ કહેવું ન પડે. જે ઉપરથી કહેવામાં આવશે એજ અંશ લક્ષણુમાં ઉમેરવું પડશે. કેમકે વૃધ્ધોથી, કેષથી, અથવા વ્યાકરણથી સાંભળ્યા વિના તે રૂઢ અને વૈગિક શબ્દને પણ કોઈ સમજી શકતું નથી. માતાદિથી સાંભળ્યા વિના મનુષ્ય, મનુષ્યની વાણું પણ નથી બોલી શકતું, અને અલંકારેના ગરૂઢ નામમાં રૂઢિથી ઇતર કઈ અર્થ ઉપરથી નથી લાવ પઠતે. એવું પણ નહીં કહેશે કે જ્યાં વાક્યર્થમાં અન્ડયા
પપત્તિ અથવા તાત્પર્યાનુપપત્તિ હોય ત્યાં વાક્યર્થમાં અન્વયાદિ લેવાને માટે લક્ષણ કહેવામાં આવે છે. સંજ્ઞા તો એકજ પદ છે. આની ક૯૫ના વખતે અન્વયાનુપપત્યાદિકનો પ્રસંગજ નથી જેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com