Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 654
________________ અન્તર્ભાવાલંકાર, ૫૫ પ્રકાશકારાદિકેને આ સિદ્ધાન્ત છે કે સમાનતાથી એક વસ્તુ વડે અન્ય વસ્તુનું આચ્છાદન થઈ જવાથી એ વસ્તુનું જ્ઞાન જ ન થાય એ મીલિત અલંકારનું સ્વરૂપ છે. અને જુદી જુદી વસ્તુઓ રહેતાં સમાનતાથી અમુક કેણુ? અમુક કોણ? એવું જ્ઞાન થાય નહિ એ સામાન્ય અલંકારનું સ્વરૂપ છે. “રત્નાકરકાર” કહે છે કે સામાન્ય મીલિત અલંકારથી ભિન્ન નથી. અને આ કારિકામાં લખે છે કે – "भेदेनानुपलम्भस्य बलवदगुणसंगतिः । सामान्ये मीलिते तुल्यो हेतुस्तन न भिन्नता ॥ ભેદવડે ન જાણુવાને હેતુ બલવાન ગુણવાળાની સંગતિ છે. તે તે સામાન્ય અને મીલિતમાં તુલ્ય છે. એથી એમાં ભિન્નતા નથી. વૃત્તિમાં રત્નાકરકાર લખે છે કે વસવંતરનું આચ્છાદન હેવાથી સામાન્ય પણ મીલિતને ભેદ હોવાને ચેપગ્ય છે. તાત્પર્ય એ છે કે મીલિતમાં તે વસ્તુનું આચ્છાદન છે. સામાન્યમાં વસ્તુની અન્યતાનું આછાદન છે, એથી ભિન્ન નથી. તેથી અમારી સંમતિ પણ રત્નાકરકારની સાથે છે, ક્ષીરનીર ન્યાયથી વસ્તુઓના મળવાને મળી જાવું કહેવામાં આવે છે. અને રત્નરાશિમાં સજાતીય રત્ન નાંખવામાં આવે એનું ભિન્ન જ્ઞાન ન હોય ત્યારે પણ મળી જવું કહેવામાં આવે છે. આત મળી જવાને પ્રકારાન્તરજ છે. એથી સામાન્ય મીલિતમાં અંતતિ છે. સામાં એટલે “સમતા” પ્રાચીને સામ્ય નામને અલંકારાનર માને છે મહારાજા ભેજ આ લક્ષણ આપે છે. द्वयोर्यत्रोक्तिचातुर्यादौपम्यार्थोवगम्यते । उपमारुपकान्यत्वे साम्यमित्यामनन्ति तत् ॥ જ્યાં બનેની ઉક્તિની ચતુરાઈથી ઉપમા રૂપકથી અન્ય બની ને ઍપમ્પાર્થ જાણવામાં આવે એને સાથ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672