Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 670
________________ ૬૧૧ સંસૃષ્ટિ તથા સંકર. અરે પ્રાણ પ્યારી તારૂં આનન અનુપ રૂપ, તુલ્ય ત્યારે તેમ છબિ રચે સરસાવીને, સુખમા સરેજ સાર સૈરભ બનાવે જ્યારે, ચતુર ચિતારે ચન્દ્ર ચહેરે ચઢાવીને. અહી જે આટલી સામગ્રી હોય તે વર્ણનીય નાયકાના સદશ મૂતિ બની શકે છે. એ કવિનો આશય હોય તે સંભાવના અલંકાર છે. અને ઉક્ત સામગ્રી મિથ્યા હોવાથી વર્ણનીય નાયકાના સદશ મૂતિ બનવાનું મિથ્યાત્વ સિદ્ધ કરવામાં આવે તે મિથ્યાધ્યવસિતિ અલંકાર છે. આ રીતિથી આહીં સંભાવના અલંકારનું અથવા મિથ્યાધ્યવસિતિ અલંકારનું કેઈ સાધક બાધક ન હોવાથી એ નિશ્ચય નથી થતો કે આહીં સંભાવનાજ છે અથવા મિથ્યાધ્યવસિતિજ છે. એથી આહીં એ બન્ને અલંકારેને સંદેહ સંકર છે. સંદેહ સ્થલમાં સંદેહવાળી વસ્તુઓને પરસ્પરમાં સંદેહરૂપ સંબંધ છે. યથા. ઈન્દ્રસમાન ઉદાર છે, અવિમાં આ અવનિપ; આમાં જે વચનથી અર્થાલંકાર ઉપમા થાય છે, એજ વચનથી શબ્દાલંકાર અનુપ્રાસ થાય છે. આ રીતિથી આહીં એકજ વચનમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર બને તેવાથી વિITબા સિંશ છે. કુવલયાનંદકારે સમપ્રધાનસંકર નામને સંકરને ચે પ્રકાર કહેલ છે કે પ્રધાનતાથી સમ થએલ અનેક અલંકારનું એક સાથે ભાન થાય એ સમાધાન સંવાર યથા. આ રવિની તુરગાવલિ મનહર, કરતી લંઘન પીનપયોધર મધ્યગતારૂણ મરકતમાલા, નભશ્રી ઈવ રક્ષે ભુવિપાલા. આહીં પધર શબ્દનાલેષથી ઉત્પન્ન થએલ અભેદાતિશયક્તિ અંગ કરીને ઉઠાવેલ રવિની તુરગાવલિમાં મરકત માલાની જે ઉભેક્ષા એ નભલક્ષમીમાં નાયિકા વ્યવહાર સમારે પરૂપ સમાસક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672