Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 653
________________ ૫૯૪ પ્રખ્ય શાસ્ત્ર, ગમાં રાજપુરૂરવા તાદ્દશ ઉર્વશીનું સાક્ય વલ્લીમાં જઈને આલિંગન કરવા લાગ્યો, એટલામાં ઉર્વશી આવી મળી. અમારા મતથી સશ વસ્તુથી વિનોદ કરતાં સાક્ષાત્ વસ્તુનું અકસમાતું મળી જવું પણ પ્રહર્ષણ અલંકાર છે. પ્રહર્ષણના પ્રાચીનક્ત ત્રણજ પ્રકાર નથી, કિન્તુ પ્રહર્ષણ અનેક પ્રકારથી થાય છે. આ અમે પ્રહર્ષણ પ્રકરણમાં સ્પષ્ટ કરી આપ્યું છે. સામાન્ય. સમાનના ભાવને સામાન્ય કહે છે. સમાન અર્થાત તુલ્ય. આહીં સમાન હોવાથી વિશેષનું જ્ઞાન ન લેવામાં સામાન્ય શબ્દની રૂઢિ છે. કાવ્યપ્રકાશગતકારિકાકારાદિક ઘણા પ્રાચીનેએ સામાન્યને મીલિતથી ભિન્ન અલંકાર માનેલ છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર ” આ પ્રમાણે લખે છે – प्रस्तुतस्य यदन्येन गुणसाम्यविवक्षया। एकात्म्यं बध्यते योगात्तत्सामान्यमिति स्मृतम् ॥ જે પ્રસ્તુતની અપ્રસ્તુતની સાથે ગુણસામ્યવિવક્ષા કરીને યોગ અર્થાત્ સબંધથી એકાત્મતાનું નિબંધન કરવામાં આવે એ સામાન્ય કહેવાય છે. ચન્દ્રાલેકકાર” આ લક્ષણ આપે છેसामान्यं यदि सादृश्याद्विशेषो नोपलक्ष्यते ॥ જે સાશ્યથી વિશેષ જાણવામાં આવે એ સામાન્ય કાર, તથા. ઘેર્યો શત પ્રતિબિંબથી, રત્નમહેલ મોઝાર, જાણ નહીં લકેશને, વાલીસુતે લગાર. પ્રતિબિમ્બ રૂપ લકેશ્વરના અને બિંબરૂપ લકેશ્વરના સમાન ભાવનું વર્ણન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672