________________
કાવ્યશાસ્ત્ર,
પ્રભાતમાં ધીમે ધીમે ચાલતાં શિશુના પદ, અલક્તના પ્રતિબિમ્બે રક્ત નિરધારીએ. દૂર થકી દારિમનાં બીજકેરી બુદ્ધિ વડે, કેલિશુક ખેંચે જોઈ વારવાર વારીએ. મહારાજા ભેજ ! તારા પંડિતેના મન્દિરોમાં,
તેના ત્યાગજન્ય લીલા ધન્ય અમે ધારીએ. અહીં ધનના આધિકયમાં પર્યવસાન કરેલ છે. કાવ્યપ્રકાશમાં અન્ય ઉદાત્તનું આ લક્ષણ આપે છે.
“માઁ રોપણ મોટાઓનું ઉપલક્ષણ અર્થાત અંગભાગ એ વાત અલંકાર.
યથા. એ આ વન દશરથવચન-પાલન વ્યસની રામ; વસ્યા સુકેવલ બાહુબલ, રાક્ષસ હણ્યા તમામ.
આહીં મહતુ પુરૂષ રામચન્દ્ર વર્ણનીય અંગી અને દંડક વન એનું અંગ છે.
સર્વસ્વકાર પ્રથમ ઉદાત્તનું આ લક્ષણ આપે છે – संभाव्यमानविभूतियुक्तस्य वस्तुनो वर्णनं । कविप्रतिभोत्यापितमैश्वर्यलक्षणमुदात्तम् ।।
સંભવતિ એવી વિભૂતિયુક્ત વસ્તુનું કવિપ્રતિભાથી ઉઠાવેલ ઐશ્વર્યવિષયક વર્ણન એ ઉદાત્ત અલંકાર છે.
સર્વસ્વકાર દ્વિતીય ઉદાત્તનું આ લક્ષણ આપે છે –
अङ्गभूतमहापुरुषचरितं चोदात्तम् ।। અંગભૂત મહાપુરૂષનું ચરિત પણ ઉદાત્ત અલંકાર છે. સાહિત્યદર્પણમાં પ્રથમ ઉદાત્તનું આ લક્ષણ છે. लोकातिशयसंपत्तिवर्णनोदात्तमुच्यते ॥ અલૌકિક સંપત્તિનું વર્ણન “ઉદાસ” કહેવાય છે.
૩ણાપી. જશવંત ભૂષણકાર” આ પ્રમાણે લખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com