________________
આનંદઘન પદ - ૧
શાન ન થાત: વયમેવ યાતા: કાળ નથી વહી રહ્યો, હું જ કાળપ્રવાહમાં વહી જઈ રહ્યો છું. દિ ઊગે ને આથમે. આદિત્ય દેવ આપણા આયુષ્યનો એક એક ટૂકડો લઈ ચાલતો થાય છે. ૩૬૦૦૦ ઈંટોના ચણતરવાળા. નિવાસસ્થાનમાંથી રોજ એકેક ઈંટ ખસતી જાય છે.
કબીર શરીર સારાય હૈ કયોં સોતા સુખચેન,
ઢોલ નગારા સાંસફા, બન રહા દિન રેન, આ હું જ કહું છું એવું નથી. આ તો તારા ઘરમાં રહેલી ઘડિયાળ પણ કલાકે કલાકે ડંકા-ટકોરા વગાડીને અને ટક ટકના ટકટકારાથી ક્ષણે ક્ષણે તને ચેતવી રહી છે કે ચેત્ ચેત્ ચેતન, તારી ચેતનાને જગાડ ! સવાર થઈ છે, સુઅવસર આવ્યો છે તો સાધી લે, કામ કાઢી લે ! અંતર ઝાઝું છે અને સમય. ઓછો છે માટે ફલાંગો ઝડપથી ભરવા માંડ !
ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર મુનીન્દ્ર ચલે, કોણ રાજાપતિ સાહ રાઉ રે; ભમત ભમત ભવજલધિ પાયકે, ભગવંત ભજન (ભગવંતભગતિસુ)
- બિન ભાઉ નાઉ રે... ક્યા ૨. સાગરોપમના દીર્ઘકાલીન આયુષ્યના સ્વામી ઈન્દ્રો, વ્યવહારકાળની ગણના જેની ગતિના આધારે થાય છે તે જયોતિષના ચન્દ્રો, પાતાલ લોકના નાગેન્દ્રો, પ્રાણ • શ્વસનતંત્ર ઉપર નિયંત્રણ ધરાવનારા યોગીન્દ્રો, મુનીન્દ્રો, ગુરૂદેવો, ગણધરો, તીર્થકર ભગવંતો જેવા ઉત્તમ દિવ્ય પુરુષો પણ આયુષ્યકર્મ સમાપ્ત થયે ચાલી ગયા હોય તો તું કોણ? તારી વિસાત શું ? જરાસંઘ - રાવણ જેવાં પ્રતિ વાસુદેવો, કૃષ્ણ - લક્ષ્મણ જેવાં વાસુદેવો, ચક્રવર્તીઓ, સિકંદર જેવાં સમ્રાટો જે બાહુબલી હતાં, અઢળક સામગ્રીના સ્વામી હતાં એવાંચ જ્યાં કાળના કોળિયા થયાં હોય તો પછી તું પણ રાજા હોય, રાજાધિરાજ હોય, શેઠ, સામંત કે શાહુકાર કે પછી રંક હોય, તારું પણ આયુષ્ય સમાપ્ત થયેથી તારે પણ અહીંથી ચલતી પકડવી પડશે. કાળના દૂત યમને કોઈની શરમ આડે આવતી નથી. રાજા હોય કે રંક, સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય, યુવાન નવપરણિત હોય કે વૃદ્ધ હોય, સાજો હોય કે માંદો, કાળ પૂરો થતાં કાળદૂત.
પરમાત્માનું વિસ્મરણ એ ત્રિકાલી ધુવ તત્ત્વની ઘોર આશાતના છે.