________________
પરિશિષ્ટ - ૩
37
(૩) વત્વ : II ગુખ પર્યાયવા દ્રવ્યમ્ II આ ચોક્કસ અમુક જ દ્રવ્ય છે, એવી દ્રવ્યની પ્રતીતિ કરાવનાર, દ્રવ્યની નિશ્ચિત ઓળખ આપનાર જે તત્ત્વ દ્રવ્યમાં રહેલ છે, તે તત્ત્વને તે દ્રવ્યત્વ કહેવાય છે. ટુંકમાં સ્વતન્ત તે દ્રવ્યત્વ.
(૪) પ્રદેશત્વ : જે કોઈ પણ દ્રવ્ય હોય તે પ્રદેશના સમુહરૂપ છે. અસ્તિકાય કે પ્રદેશપિંડરૂપ દ્રવ્ય હોય છે. પ્રદેશનું કદ અવિભાજ્ય હોય છે. એ અવિભાજ્ય પ્રદેશને કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પણ વિભાજિત કરી શકાતું નથી તેવું સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે. આવો નાનામાં નાનો - ઝીણામાં ઝીણો. સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ કે જેનાં આગળ ભાગ પાડવાં શક્ય નથી તેને પ્રદેશત્વ કહે છે. () મૂર્તત્વઃ “પરિણામી જીવમુત્તમ સપસએકા ખિત્તક્રિયાએ,
નિચ્ચ કારણ કત્તા સવ્વગય ઈયર અપવશે.” ઉપરની ગાથા નવતત્વની ગાથા છે. મૂળ ગાથા ઉત્તરાધ્યયન સૂત્રની છે મૂર્ત એટલે આકૃતિ. આકૃતિ એટલે સંસ્થાન. આકૃતિ એટલે દ્રવ્યએ પોતાના કદ પ્રમાણે આકાશક્ષેત્રે રોકેલ હદ-જગા. આકાશપ્રદેશે દ્રવ્યએ રોકેલ કદ તે દ્રવ્યનું મૂર્તત્વ. પાંચેય અસ્તિકાયના પ્રદેશપિંડને આકૃતિ - સંસ્થાન લાગુ પડે છે વચ્ચે પોતાના પ્રદેશપિંડથી આકાશમાં બાંધેલી હદ તે એ દ્રવ્યની મૂર્તિ.
ઉપરોક્ત વ્યાખ્યાનુસાર પાંચેય દ્રવ્યો મૂર્ત છે કેમકે પ્રત્યેક દ્રવ્યનું પોતાનું સંસ્થાન છે, આકૃતિ છે, મૂર્તિ છે. છતાં અગાઉ જણાવી ગયા મુજબ જે મૂરતા બદલાયા કરે છે અર્થાત્ મૂર્તમૂર્તીતરતા થયા કરે છે તે દ્રવ્ય જ વાસ્તવિક મૂર્ત છે. જ્યારે જે દ્રવ્યની પિંડાકૃતિ સ્થિર છે, જયાં મૂર્ત મૂર્તીતરતા નથી તે દ્રવ્ય અમૂર્ત છે. મૂર્તમૂર્તીતરતા નથી, તેને નિષેધ રૂપે વ્યકત કરવા માટે અમૂર્ત જણાવેલ છે. બાકી મૂળભૂત રીતે અમૂર્ત પણ મૂર્ત જ છે પરંતુ ત્રિકાળ તેની મૂરત એક છે. વળી જે મૂર્ત છે તે રૂપી છે અને અમૂર્ત છે તે અરૂપી છે.
દ્રવ્યનું ગુણકાર્ય છે તે એ દ્રવ્યનું રૂપ છે. દ્રવ્યનું આ રૂપ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે છે. નિત્ય એક જ ગુણકાર્ય છે. નિત્ય એક જ રૂપ છે તે અરૂપી છે. એક સરખું ગુણકાર્ય નથી તે અનિત્ય છે અને અનિત્ય છે તેનું