________________
પરિશિષ્ટ - ૩
ગુણકાર્ય એકસરખું હોતું નથી. એ જ પ્રમાણે જે અનિત્ય હોય છે તેનું રૂપ એકસરખું હોતું નથી પરંતુ તે બહુરૂપી હોય છે. રૂપ એ કાળવાચક શબ્દ છે જ્યાં ઉત્પાદ વ્યય હોય છે જ્યારે અમૂર્ત એક ક્ષેત્રવાચક શબ્દ છે. અમૂર્ત છે તે સ્થિર છે અને એક ક્ષેત્રી છે.
જે અસ્થિર છે તે મૂર્ત છે અને એમાં સંકોચ વિસ્તાર છે તથા ક્ષેત્રમંતરતા છે. જે દ્રવ્યના ગુણપર્યાયમાં અનિત્યતા છે તેના આધારરૂપ પ્રદેશ અસ્થિર છે. જે દ્રવ્યના ગુણપર્યાયમાં નિત્યતા છે તેના આધારરૂપ પ્રદેશ સ્થિર છે.
(9) ચેતનાત્વઃ ચેતનત્વ એટલે ચેતના, જ્ઞાન-દર્શન ઉપયોગ. ચિતિ ધાતુ ઉપરથી ચેતના શબ્દ ઉભવ્યો છે. જે સુખ દુઃખના વેદનમાં ચેતે, લાગણીશીલ બને તે ચેતન. ચેતવાના અર્થમાં વેદના અને જાણવાના અર્થમાં જ્ઞાનપ્રકાશ.
(9) ચેતનત્વ ચેતનત્વનો અભાવ તે અચેતનત્વ. જીવત્વનો અભાવ તે અચેનત અર્થાત્ જડત્વ.
(૮) અમૂર્તત્વઃ મૂર્તત્વનો અભાવ અર્થાત્ જ્યાં મૂર્તમૂર્તીતરતા નથી તે અમૂર્તત્વ.
(૯) પ્રમેવત્વ ઃ શેયત્વ, પ્રમેયત્વ એ પદાર્થમાં જણાવાનો ગુણ છે. જ્યારે પ્રમાતા-જ્ઞાતામાં અર્થાત્ જીવમાં જાણવાનો ગુણ છે. ઉભયનો પરસ્પર અન્યોન્ય નિમિત્ત-નૈમિત્તિક ગુણ છે. જેમકે લોઢામાં ખેંચાવાનો ગુણ છે અને લોહચુંબકમાં ખેંચવાનો ગુણ છે. લોહચુંબક લોઢાને જ ખેંચી શકશે પણ લાકડાને નહિ. આ નિમિત્ત-નૈમિત્તિક ગુણ-ભાવ છે.
(૧૦) અગુરુલઘુત્વ: આ ગુણનું કાર્ય દ્રવ્યને પોતાના મૂળભૂત સ્વરૂપમાં સ્થિર રાખવાનું છે. આ ગુણ સૂક્ષ્મ છે અને તે મતિજ્ઞાનનો વિષય નથી. એ શ્રદ્ધાનો વિષય છે કેમકે આગમગમ્ય અને કેવળીગમ્ય વિષય છે.
અગુરુલઘુ જે સામાન્ય ગુણ છે અને પાંચેય અસ્તિકામાં ઘટે છે એ અર્થમાં હાનિવૃદ્ધિ રહિત સમ છે તે અગુરુલઘુ છે. પાંચેય અસ્તિકાયના પ્રત્યેક પ્રદેશમાં ઉત્પાદ-વ્યયરૂપ ષગુણ હાનિવૃદ્ધિ બાર ભેદે ક્રમિકભાવે જે થયાં કરે