________________
પરિશિષ્ટ - ૩
ભ્રમિત કરે છે. કેમકે જેવું દેખાય છે તેવું સદા રહેતું નથી અને જેવું દેખાય છે તેવું વાસ્તવિક હોતું નથી. એક સ્વતંત્ર પુદ્ગલ પરમાણુના અસ્તિત્વની અપેક્ષાએ પુદ્ગલદ્રવ્ય તેના પરમાણુપણાએ અદ્વૈત છે. જ્યારે એ પુદ્ગલપરમાણુના પર્યાયના અસ્તિત્વરૂપે દ્વૈત છે.
46
સંસારીજીવ એટલે પુદ્ગલયુકત જીવ ! જેમ પુદ્ગલના બે ભેદ પડે છે કે સચિત (ચેતન-જીવ સહિત) પુદ્ગલ અને અચિત (ચેતન-જીવ રહિત) પુદ્ગલ એમ જીવના પણ બે ભેદ પુદ્ગલયુકત જીવ એટલે કે સંસારીજીવ અને પુદ્ગલમુકત જીવ એટલે કે સિદ્ધપરમાત્માના જીવ ! સંસારીજીવ જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી પુદ્ગલદ્રવ્યના પર્યાયના સંબંધથી સંબંધિત છે. માટે જ સંસારી જીવ દ્વૈત ભાવમાં હોય છે. અને સંસારી હોય ત્યાં સુધી દ્વૈતભાવમાં રહે છે. જે પદાર્થ પોતે દ્વૈત હોય અને વળી તે પદાર્થમાં રહેલાં ભાવ પણ ઐત હોય, એવો એ પદાર્થ જ્યારે અન્ય બીજા પદાર્થના સંબંધમાં આવે ત્યારે તેના સંબંધમાં આવનાર પદાર્થ પણ મ્રુત બને. જે કોલસો છે - કાળો છે તેના સંબંધમાં આવનાર કાળો થયા વિના રહે ? સંસારીજીવ પોતે જ પોતાના રાગદ્વેષાદિ ભાવે અર્થાત્ પર એવા પુદ્ગલમાં સુખબુદ્ધિ કરી બંધાય છે જેના પરિણામે પુદ્ગલનો દ્વૈત ભાવ એને (સંસારીજીવને) મળે છે. અર્થાત્ પુદ્ગલના દ્વૈતભાવમાં ભળે છે. જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધ પરમાત્માના જીવો પુદ્ગલના દ્વૈતભાવમાં ભળતા નથી. તેમનો સંબંધ માત્ર સ્પર્શપરિણામી છે જે નિર્દોષ સંબંધ છે જ્યારે સંસારીજીવનો પુદ્ગલ સાથેનો સંબંધ સદોષ છે અને બદ્ધપરિણામી છે.
સિદ્ધ પરમાત્માને ધર્મ, અધર્મ, આકાશાસ્તિકાય સાથે સંબંધ હોવા છતાં તેઓ અદ્વૈત છે. કારણ કે ધર્મ, અધર્મ અને આકાશાસ્તિકાય એ ત્રણે જડ હોવા છતાંય સ્વયં અરૂપી અદ્ભુત છે. જ્યારે પુદ્ગલાસ્તિકાય એ જડ અને દ્વૈત હોવા છતાં ય એની સાથેનો સ્પર્શ સંબંધ સિદ્ધ ભગવંતોને હોવા છતાંય તે સંબંધ નિર્દોષ છે કારણ કે સિદ્ધ પરમાત્માઓ, કેવળજ્ઞાની ભગવંતો વીતરાગ છે. સિદ્ધ પરમાત્માના જીવ સિદ્ધ પરમાત્મા થયા પૂર્વે સંસારીજીવ હતા. સંસારીજીવ પણ દ્રવ્યથી અને ગુણથી મૂળભૂત સત્તાગત ગર્ભિત તો અદ્વૈત હતો જ પરંતુ અનાદિના પુદ્ગલના સંગે (સોબતથી) દ્વૈત થયો હતો તે પુદ્ગલનો સંગ