________________
62
પરિશિષ્ટ - ૩
છે. આત્માના એ અનાદિ નિષ્પના સ્વરૂપને સમજવા માટે જ દ્રવ્યાનુયોગની વિચારણા છે. દ્રવ્યાનુયોગની સમજણથી આત્માને સમજીને, પર્યાયદષ્ટિ હઠાવી, દ્રવ્યદૃષ્ટિ કેળવીને જ્ઞાનધ્યાનમાં અનભવન-વેદન કરતાં થઈએ, આત્મસ્થિત થઈએ ત્યારે વીતરાગતા આવે. શ્રેણિગત વીતરાગતા આવે એટલે મોહનીયકર્મનો સોપશમ થાય, સકામ નિર્જરા થાય અને અંતે ક્ષય થાય છે ત્યારે જ નિષ્કર્મા, નિરંજન, નિરાકાર, નિરાવરણ, નિરપેક્ષ થવાય છે. આત્મા ધર્મમાં ગતિ કરે, આત્મામાં સ્થિતિ કરે, ભગવાન પરમાત્મામાં અવગાહના લે અને પુદગલને ઉપકરણ - ધર્મ સાધન બનાવી સાધના કરે તો તે સ્વયં અાલ - કાલાતીતા બની પરમાત્મસ્વરૂપે નિખરે - ઉભરે - ઉપસે.
સોનાની લંકા સોનાની હોય પણ આપણી ન હોય, પર હોય તો તે સોનાની લંકા આપણા શું ખપની ? આપણને શું કામની ? એ જ પ્રમાણે આત્મા સિવાયના શરીર, ઈન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ ગમે એટલાં સારા હોય, સોહામણા હોય તો જ તે પર છે અને આપણા છે નહિ અને આપણા થનાર નથી તો એ આત્માને શું કામના ? તેમ પર એવી ભોગસામગ્રી પણ આત્માને શું કામની? હા! તે યોગસામગ્રી - યોગસાધન બની રહી આત્માને ભોગમાર્ગેથી યોગમાર્ગે લઈ જઈ આત્મામાંથી પરમાત્મા બનાવે તેટલા પૂરતી તેની કિંમત એકાય.
દેહપિંજરમાં પૂરાયેલ આત્મા જો તનમનનું દુ:ખ ટાળી નહિ શક્યો અગર જો મન અને તન દ્વારા આત્માના અતીન્દ્રિય સુખને પામી શક્યો નહિ તો શાસ્ત્ર અધ્યયન અગર પંચાચારનું પાલન શું કામનું?
સની પ્રાપ્તિ સત્ વડે હોય પણ અસત વડે નહિ હોય. દશ, હાલત, અવસ્થા એ ગુણપણ છે અને એ પણ પરમ સત્ય છે કે કોઈ પણ દ્રવ્ય અવસ્યા વગર ચારેય નહિ હોય. સંસારીજીવની સંસારીશા - સંસારી અવસ્થા અસત્ - ખોટી - આભાસી - વિનાશી - માયાવી હોય છે, છતાંય એ અવસ્થા જેવી છે તે આત્મા અવસ્થાપતિ - દશાપતિ પોતે તો સત હોય છે. મૂળ ગરીમંત - જન્મજાત શ્રીમંત પણ હાલ વર્તમાનદશા ચીંથરેહાલ. જાત સની પણ ભાત અસતની. પોત સત પણ ભાત અસત. અવસ્થા આત્માના આધારે ઉત્પન્ન થાય છે. સત્ સ્વયં હોવા છતાં સની સમજણ