________________
પરિશિષ્ટ - ૩
(G
આપણી પોતાની જે વર્તમાન વેદનરૂપ સ્થિતિ છે તે ભૂતવત્ બનતાં તે વેદાતી નથી. પરંતુ એ સ્થિતિમાં પણ આપણે જ્ઞાતા-દષ્ટા બનવાનું છે. “હું” - “1” જેને વર્તમાન ગુણપર્યાય યુકત દ્રવ્ય માનીએ છીએ તે વાસ્તવમાં “હું” દ્રવ્ય નથી. એ તો દ્રવ્યનો પર્યાય છે જે ભૂતવત્ બને છે. બાકી ખરેખર તો “હ” એ તો માત્ર પ્રદેશપિંડ છે - દ્રવ્ય છે. હું જીવદળ - ઝવદ્રવ્ય, આત્મદળા - પ્રદેશપિંડરૂપ જીવદ્રવ્ય છું અને કેવળજ્ઞાન મારો નિત્ય ગુણપર્યાયરૂપ સ્વભાવ છે. બાકી છદ્મસ્થના જે કાંઈ બધાં પર્યાયો કે જેમાં “હું” પણાનો આરોપ છે તે તો માત્ર વર્તમાનરૂપ સાદિ-સાન્ત હોવાથી અસતુ પર્યાયો છે તેથી તે હુંકારને અહંકાર એટલે કે અનિત્ય અસત્ હુંકાર અર્થાત્ અહંકાર કહેલ છે. ( વિશ્વમાં રહેલાં સર્વ પર્યાયો તે હું નથી એ ઉદાસીન ભાવ છે. પરમાં હું ભાવ - “હુંકાર - અહંકાર કહેવાય છે. સત્ય “હું” - સાચો “હું” તે તો આત્માનું પરમાત્મત્ત્વ છે એ હું નથી પણ સોડહં - સોડહં નો નાદ છે - આત્માકાર છે જે ઓમકાર છે.
પુદ્ગલ દ્રવ્યો અને સજાતિય જીવો વચ્ચે રહેલાં આપણે તે બધાંયની સાથે અને બધાંયની વચ્ચે જીવવાનું છે. એ સર્વ પર હોવાથી ઉદાસીનભાવે જીવવાનું છે. જ્યારે પંચ પરમેષ્ઠિ ભગવંતો (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) સજાતિય પર હોવા છતાં સ્વરૂપ એકયથી તેમની સાથે ઉદાસીનભાવે નહિ પણ ઉલ્લાસભાવથી જીવવાનું છે. જીવ માત્રને આત્મવત્ સિદ્ધ સ્વરૂપે જોવાથી તેઓ પ્રત્યેના દેહભાવ મોહભાવ ચાલ્યા જાય. આપણા કર્તવ્ય, ફરજ, કર્મયોગ, ફળપ્રાપ્તિની અપેક્ષા રાખ્યા વિના ઉદાસીનભાવે તથા પ્રકારે કરવા જોઈએ. જીવો પ્રત્યે દુર્ભાવ નહિ કરવો, તેમ જીવો પ્રત્યે ઉદાસીન ભાવ પણ નહિ રાખવો. સર્વ જીવો પ્રતિ પ્રેમભાવ, વાત્સલ્યભાવ, આત્મવભાવ કેળવવા જોઈએ.
કોઈપણ પદાર્થ પ્રત્યે રાગ થાય તો સુખબુદ્ધિ થાય. અધ્યાત્મની દૃષ્ટિએ બુદ્ધિથી ચકાસીશું તો રાગ નહિ થાય. જ્યાં રાગ છે જ નહિ ત્યાં પછી તેષની ઉત્પત્તિનો પ્રશ્ન રહેતો નથી કારણ કે દ્વેષ એ રાગમાં મળતી નિષ્ફળતાની નિપજ છે. જ્યારે રાગદ્વેષ જાય અર્થાત્ રાગ સમૂળગો જાય ત્યારે આત્માનું વીતરાગ, નિર્વિકલ્પ, નિરપેક્ષ, નિશ્ચય, શુદ્ધ, સત્ય, પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય