Book Title: Parampaddai Anandghan Padreh Part 01
Author(s): Suryavadan T Zaveri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain

View full book text
Previous | Next

Page 476
________________ પરિશિષ્ટ - ૩ 51 ગુણપર્યાયથી સત્તારૂપ અસ્તિત્વ હોવા છતાં તેના ઉપર આત્માની જ્ઞાનસત્તા છે. વળી આત્મા વડે જ સર્વ દ્રવ્યોની ખ્યાતિ છે. આત્માના જ્ઞાનપ્રકાશથીજ તે સર્વ દ્રવ્યો પ્રકાશમાં આવે છે. એટલે કે એ ચારેય અસ્તિકાયો ખ્યાતિને પામે છે. જેને ખ્યાતિ આત્મા આપે તેનો આત્માએ મોહ શું કરવો ? મોહ અધિષ્ઠાન બને છે એટલે જ મોહનથી હણાતો. આત્મા અધિષ્ઠાન એમ સમજાશે તો મોહનો નાશ થશે. અધિષ્ઠાન અર્થાત્ આધારનું અનુસંધાન થશે તો અધ્યસ્થ અર્થાત્ આઘેય જીતાશે. તમસ, રાજસ ભાવ ટાળીશું તો સાત્વિક ભાવની કિંમત સમજાશે. ઉપયોગ આત્મામાં રહે છે માટે પર એવાં કોઈ પદાર્થમાં ઉપયોગ નહિ રાખતાં આપણાં પોતાના ઉપયોગમાં (આત્મામાં) જ પોતાનો ઉપયોગ રાખવો એ શ્રેષ્ઠ સાધના છે - એ શ્રેષ્ઠ પરનો ત્યાગ છે. સ્વ સ્વરૂપને ભૂલીને પરપદાર્થ સાથે સ્વવત્ સચ્ચિદાનંદરૂપે અભેદ થઈ જવું તે વિભાવદશા છે. વિભાવદશા આવવાથી આત્મા ચેતન મટીને જડ નથી થતો, એનું જાત્યાંતર નથી થતું પરંતુ વિકારી બને છે, અશુદ્ધ થાય છે અને દુ:ખી થાય છે. એવી રીતે પુદ્ગલમાં કદી પણ જ્ઞાન-દર્શનાદિ આત્મિક ગુણો આવતા નથી માટે પુદ્ગલમાં કદી પણ પરભાવ હોતો નથી. તો હવે પુગલદ્રવ્ય જીવદ્રવ્યથી કેવી રીતે અલગ છે તે સમજીએ. પુદ્ગલ દ્રવ્યનો ભેદો : સ્વભાવરૂપ પુદ્ગલને સચિત - અચિત, સૂક્ષ્મ-બાદર, રૂપી અને જડ એવાં ભેદથી જાણીએ છીએ. લક્ષણ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, પ્રભા, અંધકાર, ઉદ્યોત-છાયા, રૂપ-રૂપાંતર, પરિવર્તનતા, અનિત્યતા, ક્ષેત્રમંતર ગમન, પરિભ્રમણ, પુરણ અને ગલન, હાનિ-વૃદ્ધિ, ઉત્પાદ-વ્યય, સર્જન-વિસર્જન, સંકોચ-વિસ્તાર, સંયોગ-વિયોગ ઈત્યાદિ પુદ્ગલના લક્ષણો છે. ફરસ-વરન-રસ-ગંધ-મચ, નારદ-પાસ-સંઠાન; અનુરૂપી પુગલ દરબ, નભ-પ્રદેશ-પરવાન. પરિવર્તન એ અનિત્યતા છે, વિનાશીપણું છે. ઉત્પાદ-વ્યય એ સ્વનું સ્વમાં જ પર્યાયાન્તર છે. સંયોગ-વિયોગ છે એ ક્રમિકતા છે. પરિભ્રમણ એ અસ્થિરતા છે. પુદ્ગલદ્રવ્ય ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરે છે. આ બધાંય પુદ્ગલદ્રવ્યના અનેક સ્વભાવો

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490