Book Title: Parampaddai Anandghan Padreh Part 01
Author(s): Suryavadan T Zaveri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain

View full book text
Previous | Next

Page 474
________________ પરિશિષ્ટ - ૩ જગતમાં દેખાવ દે છે. ભેદનું મૂળ અભેદ છે. ભેદમાં અભેદ તત્વ જોતાં શીખીશું તો મોહભાવો, કલેશ, ઉગ, સંતાપ, શોધ, માન, લોભ, આદિ ભેદ તત્વોનો નાશ કરે. અસત્ એ સની ગયા છે. પગલદ્રવ્યમાં સતત પુરણ અને ગલન ચાલુ હોવાથી સંખ્યાની વધઘટ થયાં જ કરતી હોય છે. સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ પુદ્ગલમાં ભેદરૂપ હોવાથી સાપેક્ષરૂપ છે. સંસારીજીવમાં પણ પુદ્ગલદ્રવ્યના નિમિત્તે સાપેક્ષતા આવે છે. પુદ્ગલદ્રવ્ય સંખ્ય, અસંખ્ય કે અનંત પ્રદેશનું એમ જુદી જુદી સંખ્યાનું બનેલું હોય છે. જ્યારે જીવમાત્રમાં – પ્રત્યેક જીવના એના સર્વ પર્યાયોમાં આત્મપ્રદેશોની સંખ્યા એક સરખી જ અભિન્ન અસંખ્ય હોય છે. જીવ જો કીડી હોય તો પણ અને કુંજર (હાથી) હોય તો પણ તેનાં આત્મપ્રદેશો એક સમાન સરખાં અસંખ્ય જ રહે છે. એક આત્મા પરમાત્મા સિદ્ધ ભગવંત બની જાય તો પણ તેના આત્માના આત્મપ્રદેશોની અસંખ્યની સંખ્યામાં જરા ય હાનિ-વૃદ્ધિ થતી નથી. હવે અહીં જિજ્ઞાસને પ્રશ્ન એ ઉદ્દભવે કે તો પછી જીવની ભેદદશા શું છે? જીવની જ્ઞાનદશામાં જે દમિકતા છે તે જીવની ભેદદશા છે. કમિક પચનું નામ જ અનિત્યતા. જયાં અનિત્યતા હોય ત્યાં ઉત્પાદ-વ્યય હોય જ ! સંયોગ-વિયોગ બે દ્રવ્યો વચ્ચે હોય. જેમકે શરીર અને આત્મા. જયારે ઉત્પાદ-વ્યય એક જ વ્યમાં હોય જેમકે આત્મા અને જ્ઞાન. એને સ્વ પર્યાય કહેવાય. નિમિત્ત ભલે બીજાનું હોય ! ઉત્પાદ-વ્યય એ એક જ દ્રવ્યમાં થતું પરિવર્તન છે અર્થાત્ અવસ્થાંતર છે. ઉત્પાદ-વ્યયમાં પોતાનો જ ગુણ સામેલા હોય. આમ બે પ્રકારે ભેદ છે. કોઈપણ પદાર્થનો ગુણ જે સ્વભાવરૂપ છે તે અર્થક્રિયાકારી સત્ રૂપે હોય છે. ગુણ પ્રમાણે કાર્ય ચાલુ રહે છે. સંયોગરૂપ પદાર્થની ગુણની અર્થક્રિયા અસરૂપે હોય છે. સંસારીજીવમાં જે રાગ-દ્વેષ, કર્તા-ભોકતા ભાવરૂપ છે તે લોહચુંબકના જેવી ચુંબકીય શક્તિ - આકર્ષણશક્તિ છે. એ શકિત પુદ્ગલદ્રવ્યને આકર્ષે છે - ખેંચે છે. પુદ્ગલદ્રવ્યમાં સ્નિગ્ધ અને રૂક્ષ ગુણ હોવાના કારણે ગ્રાહ્ય ગ્રાહકતા રહેલ છે તેના પરિણામે પુદ્ગલ દ્રવ્ય ખેંચાય છે અને સંસારીજીવના આત્મપ્રદેશે

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490