________________
પરિશિષ્ટ - ૩
એટલે જીવ જ્ઞાનયુક્ત હોય પરંતુ જ્ઞાનવિહીન જડ નહિ હોય. અર્થાત્ પુદ્ગલના ગુણની એટલી અસર નહિ થાય કે આત્મદ્રવ્યને જડ પુલ બનાવે. જ્ઞાનગુણ પોતાના દ્રવ્યમાં જ રહે પણ દ્રવ્યની બહાર નહિ જઈ શકે કે બહાર નહિ રહે. દ્રવ્યમાં આધાર અભેદ સંબંધ છે. ગુણનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય પ્રદેશપિંડત્વને આધારે જ હોય છે. આ આધાર અનાદિ-અનંત હોય છે. તેથી સાદિ-સાન્ત કે સંયોગ-વિયોગરૂપ ગુણોનો દ્રવ્ય સાથે સંબંધ હોતો નથી.
પ્રદેશ પિંડત્વ દ્રવ્ય સ્વયંભૂ છે. Nothing is produced and nothing get destroyed. નથી તો કશાનો ઉત્પાદ થતો કે નથી તો કશું નાશ પામતું હોય છે. આ જે દષ્ટિ છે એ દ્રવ્ય દૃષ્ટિ છે જેને વર્તમાનનું પદાર્થવિજ્ઞાન પણ હવે તો સ્વીકારે છે. અનાદિ-અનંત, નિષ્પન્ન, અનુત્પન્ન, અવિનાશી,
સ્વયંભૂ છે. દ્રવ્યમાં રહેલાં ગુણ પ્રમાણે જો દ્રવ્યનું કાર્ય હોય નહિ તો તે દ્રવ્યા કહેવાય નહિ.
મૈત-અદ્વૈત : દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભ્યાસ આપણે આપણાં સ્વયંભૂપણાનું અનાદિ-અનંત સ્થિતિનું, અવિનાશી અવસ્થાનું, પરમાત્મસ્વરૂપનું લક્ષ્ય કરીએ અને તે સાધ્યને સાધવા માટે થઈને સાધના કરીએ તે માટે છે અને એ લક્ષ્યને નિરંતર દૃષ્ટિ સન્મુખ રાખવું મહત્વનું છે.
પાંચે દ્રવ્યનું પ્રદેશથી અસ્તિત્વ છે એ આપણે જોયું. સ્વયંભૂ અદ્વૈતતા આપણે આપણા ગુણપર્યાયથી અવિનાશી બનવું એનું જ નામ અદ્વૈત થવું. દ્વિધામાંથી, કંઠ, ઢેતમાંથી છૂટી જવું એટલે અદ્વૈત થવું. બેમાંથી એક થવું, દેહ અને આત્મા એ દ્વિવિઘ સ્થિતિમાંથી કેવળ આત્મા બની રહી દેહથી છૂટી જવું, અનેકની વચ્ચે એક અનોખા, નિરાલા, અદ્વિતીય બની રહેવું તે અદ્વૈત થવું છે. જીવ કેવળજ્ઞાનથી અદ્વૈત છે. આત્મપ્રદેશો અને તેમાં રહેલ ચૈતન્ય અર્થાત્ જ્ઞાનગુણનું જે અસ્તિત્વ છે તેનું એકેએક આત્મપ્રદેશોએ પૂર્ણ પ્રાકટ્ય તે કેવળજ્ઞાન છે જે અદ્વૈત છે. જે ત્રણે કાળ છે, છે અને છે એ અદ્વૈત છે. જે એક ક્ષણે છે અને બીજી ક્ષણે નથી અથવા તો આ ક્ષણે એક દેખાય છે અને બીજી ક્ષણે બીજું દેખાય તે અદ્વૈત નથી પણ પ્રેત છે. એ એકરૂપી નથી. પણ બહુરૂપી છે અને જે બહુરૂપી છે તે બહુ બહુ મુંઝવણમાં મૂકનાર ભયંકર છે. એ જ સંસાર છે. પળે પળે પલટાય એ જ માયા છે. એ જ ભ્રમ છે જે