Book Title: Parampaddai Anandghan Padreh Part 01
Author(s): Suryavadan T Zaveri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain
View full book text
________________
પરિશિષ્ટ - ૩
બાકીના ચાર દ્રવ્યો આકાશ, ધર્મ અને અધર્માસ્તિકાય તથા પરમાત્મસ્વરૂપે જીવ એકજ આકારમાં ત્રણે કાળ હોવાથી અર્થાત્ એકાકાર હોવાથી અમૂર્ત છે.
અરૂપી દ્રવ્ય ચર્મચક્ષુથી દશ્ય નથી. અરૂપી દ્રવ્યને વર્ણ નથી. પુદ્ગલદ્રવ્યા સિવાયના ચારેય દ્રવ્યો અરૂપી છે જ્યારે પુદ્ગલદ્રવ્ય અને પુદ્ગલસંગે જીવ-સંસારી જીવ રૂપી છે અને મૂર્ત છે. એટલે કે રૂપારૂપી છે. એ પરિવર્તનશીલા અને પરિભ્રમણશીલ છે. જેનાં રૂપમાં રૂપરૂપાંતરતા છે, મૂર્ત મૂર્તીતરતા છે તે રૂપી અને મૂર્ત પદાર્થોનું બનવાનું, બગડવાનું ચાલુ જ રહે છે અને ક્ષેત્રમંતર થયાં કરે છે. જેનું નિરંતર પરિવર્તન અને પરિભ્રમણ થયાં જ કરે છે તે પુદ્ગલદ્રવ્ય છે. પુરણ અને ગલન સતત થયાં જ કરે છે. ચોદે રાજલોકમાં સતત એનો
ઝળપાટ ચાલુ રહે છે. અમુક સમય સુધી જો પુદ્ગલ કોઈ એક ક્ષેત્રે સ્થિર રહે તો પણ તેનું રૂપાંતર - પરિવર્તન તો નિરંતર ચાલુ જ રહે છે. પુરણ અને ગલન સતત ચાલુ હોવાથી તે દ્રવ્ય પુલ કહેવાય છે. પુદ્ગલદ્રવ્યનું રૂપ બદલાતાં નામ બદલાય છે. ખેતરના “ઘ” ઘરે ‘લોટ’ રૂપે પરિણમે છે અને રસોડામાં રોટલી, ભાખરી, પૂરી, લાડવો બને છે ત્યારે તે તે નામે ઓળખાય. છે. ૩પ કરે એટલે નામ કરે અને રૂપ નામ કરે એટલે કાર્ય કરે.
જે સદા સર્વદા એકજ આકારમાં હોય છે તે અરૂપી છે, અમૂર્ત છે. એ અનામી હોય છે, અવિનાશી હોય છે, નિત્ય હોય છે, અક્રિય હોય છે, અખંડ હોય છે, પૂર્ણ હોય છે. સર્વ શબ્દોનો લક્ષ્યાર્થ એક જ છે.
ક્ષેત્ર-ક્ષેત્રી : પાંચ દ્રવ્યોમાં આકાશ ક્ષેત્ર છે અને બાકીના ચાર દ્રવ્યો આકાશમાં અવગાહના લઈને રહે છે તેથી તે ચારેય દ્રવ્યો ક્ષેત્રી છે.
ય-wiાતા : જીવાસ્તિકાય જ્ઞાતા છે અને બાકીના ચારેય દ્રવ્યોને જીવાસ્તિકાય ખ્યાતિ આપે છે તેથી તે જોય છે. જીવ જ્ઞાનથી સર્વગત છે. આકાશ ક્ષેત્રથી સર્વગત છે. બાકીના દ્રવ્યો અસર્વગત છે.
દ્રવ્યની આટલી વિચારણા બાદ હવે આપણે ગુણ વિષે વિચારીશું.
ગુણ : શું છે ? એ પ્રશ્નના ઉત્તરથી દ્રવ્ય વિષે જાણકારી મળે છે. કેવું છે ?

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490