________________
પરિશિષ્ટ - ૩
જીવાસ્તિકાય પોતે અસંખ્યાત પ્રદેશી છે પરંતુ જીવોની સંખ્યા અનંતી
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક એક દ્રવ્ય હોવા છતાં વ્યાપક નથી. ઉભય અસંખ્યાત પ્રદેશોનો બનેલ એક એક સ્કંધ છે. એ જ પ્રમાણે પુદ્ગલાસ્તિકાય પણ અનંત હોવા છતાં સર્વવ્યાપક નથી કેમકે અલોકાકાશમાં નથી. તેમ સંસારીજીવો પણ અનંતા હોવા છતાં સર્વવ્યાપક નથી. જ્યારે સિતાના જીવો અનંતા છે અને એ અનંતા સિદ્ધના જીવો એમના કેવળજ્ઞાન વડે સર્વવ્યાપક છે. સિદ્ધના જીવો તેમજ સર્વ કેવળજ્ઞાની ભગવંતો એમના જ્ઞાનગુણ વડે કરીને લોકાલોક સર્વવ્યાપી છે અર્થાત્ લોકાલોક પ્રકાશક છે.
કેવળજ્ઞાન ગુણથી સર્વ કેવલી ભગવંતોમાં એક છે અર્થાત સામ્ય છે. આત્માના અનંત ગુણો હોવા છતાં તે સર્વ ગુણોના વેદદાર માનદ તો એમનો એક અદ્વિતીય, અજોડ છે અને સહુ કેવળજ્ઞાની ભગવંતનો સરખો છે. એ પરમાવસ્થાની પેલે પાર જ્ઞાન અને આનંદની આગળ કોઈ ભેદ નથી, તરતમતા નથી અને તેથી જ પરમાત્માના વિશેષણો છે.”
* ક્રિતીયન શુદ્ધ નિત્યમ પૂર્ણ ____ निर्गुणं निष्क्रियं. शांतम् निरवद्यं निरंजनम् ॥ પાંચ દ્રવ્યોમાં માત્ર જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો બદ્ધ સંબંધથી પરિણામી છે. બાકીના ત્રણ દ્રવ્યો અપરિણામી હોવા છત સ્વભાવે સ્વ ગુણ-પર્યાયમાં પરિણામી છે. તે જ પ્રમાણે જીવ અને પુદ્ગલ પણ પાછા સ્વી ગુણ-પર્યાયમાં તો પરિણામી છે જ.
પાંચે દ્રવ્યોમાં એક માત્ર પુદ્ગલદ્રવ્ય મૂર્તિ અને રૂપી છે. સંસારીજીવા અર્થાત્ અશુદ્ધાત્મા પણ અનાદિથી પુદ્ગલસંગે મૂર્ત અને રૂપી છે. બાકીજીવા એના શુદ્ધસ્વરૂપમાં - સિદ્ધસ્વરૂપમાં - બ્રહ્મસ્વરૂપમાં તો અમૂર્ત, અરૂપી છે.
પી-અાપી-પૂર્વ-અમૂર્તઃ મૂર્ત એટલે આકાર યુક્ત. મૂર્ત એટલે સંસ્થાન, આકાર. જેને આકાર છે, જે આકાર સહિત સાકાર છે તે મૂર્ત છે. વાસ્તવિક પાંચે દ્રવ્યોને પોતપોતાનો આકાર તો છે જ અને તે દ્રષ્ટિએ પાંચે દ્રવ્યો મૂર્ત છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યના આકારો બદલાયા કરે છે તેથી તેને મૂર્ત કહેલ છે.