________________
પરિશિષ્ટ - ૩
(1) II ગુણ પર્યાયવત વ્યા
જે ગુણ અને પર્યાયથી યુક્ત છે તે દ્રવ્ય છે. ગુણ એ દ્રવ્ય ભેદક છે. અને પર્યાય એ ગુણ ભેદક છે. દ્રવ્યની ઓળખ એના ગુણથી છે અને ગુણની ઓળખ એના પર્યાયથી છે. “દતિ રૂતિ દ્રવ્ય’ સ્થિર રહી ઉત્પાદ-વ્યય એટલે પર્યાયરૂપે જે દ્રવ્યા કરે છે તે દ્રવ્ય છે.
જેની ઉત્પત્તિ નથી કે જેનો વિનાશ નથી તે દ્રવ્ય છે. તે અનાદિ અનંતા છે. જેની ઉત્પત્તિ અને વિનાશ છે તે પર્યાય છે જે સાદિ સાન્ત છે ને દ્રવ્યના આધારે છે. દ્રવ્યના ધર્મ કે જેનાથી તે તે દ્રવ્યની ઓળખ થાય છે અને જે દ્રવ્યની સાથે ને સાથે રહે છે તે દ્રવ્યના ગુણ છે.
(૨) II જ દ્રવ્ય ત્રણ II
જેનું લક્ષણ, સત્ કહેતા અવિનાશી છે, નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, તે સત્ છે. અને સત્ છે તે દ્રવ્ય છે.
(૩) I Fાર વ્યય ધ્રૌવ્યયુક્ત સત્ II.
જે ઉત્પાદ, વ્યય, ધ્રુવ યુકત સત્ છે તે દ્રવ્ય છે. આ વ્યાખ્યા પાંચે અસ્તિકામાં અને વિશેષ કરીને પુલાસ્તિકાયમાં ઘટે છે. બાકીના ચાર અસ્તિકામાં આ વ્યાખ્યા તે અસ્તિકાયો વિષે એના અગુરુલઘુ ગુણમાં જે પદ્ગણ હાનિ-વૃદ્ધિ ભાવ છે તેને અનુલક્ષીને કરાયેલ છે. " (૪) II અર્થ રિયાવર જતુ II
જે નિજગુણ અનુસાર કાર્ય કરે છે તે સત છે અને તે દ્રવ્ય છે. સ્વગુણ અનુસાર સ્વાભાવિક થતું કાર્ય સહજ જ હોય છે એટલે કે એ પ્રયત્નપૂર્વક થતું સપ્રયત્ન, સંકલ્પપૂર્વકનું કે સહેતુક કાર્ય હોતું નથી. જેમકે પૂષ્પનો પમરાટ, જલની શીતળતા, જળાશયનું જલપ્રદાનત્વ, વૃક્ષનું ફલપ્રદાન– ઈત્યાદિ.
જે ઉપરોક્ત ચાર સૂત્રાત્મક વ્યાખ્યામાં બંધ બેસે છે તે દ્રવ્ય છે. ટુંકમાં ઉત્પન છે તે પર્યાય છે. સંપન છે તે ગુણ છે. નિષ્પન છે તે દ્રવ્ય છે. આવા દ્રવ્યના પાછા ત્રણ વિભાગ પડે છે. (૧) દ્રવ્યના પ્રદેશોની સંખ્યા,