________________
પરિશિષ્ટ - ૨
જેમ રાજાના જ આપેલ અઢારમાં હાથી વડે રાજાના સૂચવ્યા પ્રમાણે રાજાના આદેશ મુજબ સત્તર હાથીની વહેંચણીનો ઉકેલ જે સરળ રીતે ઉપર મુજબ થયો તેમ જીવમાં પોતામાં જ રહેલ પોતાના સત્તાગત કેવળજ્ઞાનને જો જીવ પ્રગટાવે તો સહુ જીવન ઘટમાળ, સમસ્યાઓનો ઉકેલ સહજ સરળ રીતે ચપટી વગાડવા માત્રમાં - સમય માત્રમાં થઈ શકે એમ છે.
24
ઉપરોકત કથાનકના અઢારમાં હાથીની જેમ કેવળજ્ઞાન બધાનું હોવા છતાં બધાથી ન્યારું - નિરાળું - અનોખું છે. વળી નિરાળું હોવા છતાં ય બધાંની પૂર્તિ કરી શકવાને સમર્થ છે. સર્વ સમસ્યાનો તોડ કાઢવામાં સમર્થ છે.
કેવળજ્ઞાન એક અદ્વિતીય, અજોડ, અનોખું, ન્યારું, નિરાળું, છે અને છતાંય એક, અજોડ, અદ્વિતીય એવું એ મહાન તત્ત્વ છે કે જે સહુની સઘળી સમસ્યાઓનો ઉકેલ લાવવા સક્ષમ છે - સમર્થ છે.