SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૨ જેમ રાજાના જ આપેલ અઢારમાં હાથી વડે રાજાના સૂચવ્યા પ્રમાણે રાજાના આદેશ મુજબ સત્તર હાથીની વહેંચણીનો ઉકેલ જે સરળ રીતે ઉપર મુજબ થયો તેમ જીવમાં પોતામાં જ રહેલ પોતાના સત્તાગત કેવળજ્ઞાનને જો જીવ પ્રગટાવે તો સહુ જીવન ઘટમાળ, સમસ્યાઓનો ઉકેલ સહજ સરળ રીતે ચપટી વગાડવા માત્રમાં - સમય માત્રમાં થઈ શકે એમ છે. 24 ઉપરોકત કથાનકના અઢારમાં હાથીની જેમ કેવળજ્ઞાન બધાનું હોવા છતાં બધાથી ન્યારું - નિરાળું - અનોખું છે. વળી નિરાળું હોવા છતાં ય બધાંની પૂર્તિ કરી શકવાને સમર્થ છે. સર્વ સમસ્યાનો તોડ કાઢવામાં સમર્થ છે. કેવળજ્ઞાન એક અદ્વિતીય, અજોડ, અનોખું, ન્યારું, નિરાળું, છે અને છતાંય એક, અજોડ, અદ્વિતીય એવું એ મહાન તત્ત્વ છે કે જે સહુની સઘળી સમસ્યાઓનો ઉકેલ લાવવા સક્ષમ છે - સમર્થ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy