________________
28
પરિશિષ્ટ - ૩
અંતે ચોથા ક્રમે ગણિતાનુયોગ મૂકયો. દ્રવ્ય છે તો દ્રવ્ય કેટલાં છે ? જીવની સંખ્યા કેટલી ? કેટલાં જીવાત્મા પરમાત્મા થયાં? જે જે દ્રવ્યો છે એ દ્રવ્યોની પોતાની કેટલી સંખ્યા છે વિગેરે જે કાંઈ છે તેનું નિશ્ચિત ગણિત, ગણિતાનુયોગમાં આપેલ છે. આ વિશ્વમાં જે કાંઈ બધું છે એનું ગણિત જોઈએ. એ માટે જ ગણિતાનુયોગ મૂક્યો. આમ જૈન દર્શને જેને પદાર્થ વિજ્ઞાનની સાથે સાથે જેના ઈતિહાસ, જેન ભૂગોળ, જેન લલિત સાહિત્ય, જેન તત્ત્વજ્ઞાન આપવાની સાથે જેન ગણિત (Mathematics) પણ આપેલ છે જે, એ દર્શનની સર્વાગીતા સૂચવે છે.
કેવળજ્ઞાન વિષેની વાતો જે છે એ દ્રવ્યાનુયોગ છે. કેવળજ્ઞાન પ્રાપ્તિની પ્રકિયા - સાધનાની વાતો છે તે ચરણારણાનુયોગ છે. કેવળજ્ઞાની ભગવંત અર્થાત્ કેવળીના જીવનવૃતાંત છે એ કથાનુયોગ છે અને બધાંચની ગણતરી જે કરી આપે છે તે ગણિતાનયોગ છે.
દ્રવ્યાનુયોગથી આત્મા, આત્માને ઓળખે, આત્માને ઓળખ્યા (જાણ્યા) બાદ આત્મામાં રહેલાં દોષોનું નિરાકરણ, નિવારણ ચરણકરણાનુયોગ દ્વારા થાય અને એ માર્ગે આગળ વધવા આદર્શ, આલંબન પૂરું પાડે ધર્મકથાનુયોગ. આમ દ્રવ્યાનુયોગથી આત્મા, પરમાત્માની ઓળખ થાય, ચરણકરણાનુયોગથી આત્મા પવિત્ર બને, કથાનુયોગથી આદર્શ - લક્ષ્ય બંધાય, ભાવના સુધરે, ભાવિક થવાય અને ગણિતાનુયોગથી બુદ્ધિ સૂમ બને, લક્ષ વેદી એકાગ્ર થવાય. દ્રવ્યાનુયોગથી મન લીન થાય છે. ચરણકરણાનુયોગથી મન શુદ્ધ થાય છે. ધર્મકથાનુયોગથી મન નમ્ર થાય છે અને ગણિતાનુયોગથી મન વિશાળ થાય છે.
દ્રવ્યાનુયોગ કે જે મૂળ પદાર્થશોધન છે તેનાથી સહજ ધ્યાન થાય છે, જેના પરિણામરૂપ સહજજ્ઞાન - બ્રહ્મજ્ઞાન - કેવળજ્ઞાનનું પ્રગટીકરણ થાય છે. દ્રવ્યાનુયોગ એટલે પ્રત્યેક પદાર્થનું મૂળ શોધવું. આમ દ્રવ્યાનુયોગ એટલે પદાર્થશોધન દ્વારા સ્વરૂપ શોધન. દ્રવ્યાનુયોગથી વિશ્વના પાંચ મૂળભૂત અનાદિ-અનંત, નિષ્પન્ન અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ તત્ત્વો (પદાર્થો) છે તેના શુદ્ધાશુદ્ધ સ્વરૂપ સમજણથી આત્માના સ્વરૂપનું યથાવત્ જ્ઞાન, ભાના થાય તો સહજ ધ્યાની થવાય કે જે સહજ ધ્યાનથી સહજજ્ઞાની - કેવળજ્ઞાની