________________
પરિશિષ્ટ
બનાય.
3
સહજ જ્ઞાન સાધ્ય છે, ધ્યેય છે જ્યારે સહજ ધ્યાન એ સાધન છે. સહજ ધ્યાન દ્રવ્યાનુયોગથી સુલભ બને છે. દ્રવ્યાનુયોગથી આત્મતત્ત્વની જાણ થાય છે અને જે આત્માને જાણે છે તેને બીજું કાંઈ જાણવાની જરૂર નથી.
// ામ્ નાળતિ સવ્વ નાળતિ II
जब जान्यो निजरूपको तब जान्यो सबलोक;
नही जान्यो निजरूपको, सब जान्यो सो फोक.
29
આત્મા સિવાયનું બીજું બધું ય જાણવું હેય એટલે ત્યાજ્ય છે. એ છોડવાનું છે. સર્વ વિકલ્પોને છોડી નિર્વિકલ્પ થવાનું છે. જેણે આત્માને જાણ્યો છે તેણે બીજાં શાસ્ત્રોને જાણવાની જરૂર નથી. દ્રવ્યાનુયોગનું આટલું મહાત્મ્ય સ્વીકાર્યા બાદ હવે આપણે દ્રવ્ય ગુણ - પર્યાયની વિચારણા તરફ વળીએ.
-
દ્રવ્ય : પદાર્થવિજ્ઞાન જેમ જગતનાં મૂળભૂત ભૌતિક તત્ત્વો - ભૌતિક પદાર્થની વાત કરે છે તેમ દ્રવ્યાનુયોગ જગત કહેતાં વિશ્વ-બ્રહ્માંડ cosmose-universe જે મૂળભૂત તત્ત્વના આધારે ચાલે છે તે તત્ત્વોની વાત કરે છે. આ મૂળભૂત તત્ત્વો ફકત પાંચ દ્રવ્યો છે. આ પાંચે ય તત્ત્વોને અસ્તિકાય તરીકે ઓળખવામાં આવે છે. અસ્તિ એટલે પ્રદેશ એ એનો દાર્શનિક પારિભાષિક અર્થ છે. આમ તો અસ્તિનો અર્થ હોવું Being થાય છે. આ પાંચે અસ્તિકાય સર્વકાળ હોય છે. તે સર્વદા હોય છે એટલે અસ્તિ કહેવાય છે. કાય એટલે સમુહ અથવા પિંડ. પ્રદેશોનો પિંડ એટલે અસ્તિકાય. આ પાંચ મૂળભૂત અસ્તિકાયોના - પ્રદેશપિંડના નામ છે... (૧) આકાશાસ્તિકાય (૨) ધર્માસ્તિકાય (૩) અધર્માસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય.
આ પાંચ અસ્તિકાય પૈકીના પ્રથમ ચાર અસ્તિકાય જડ છે. જીવ નથી એટલે અજીવ છે. જ્યારે પાંચમુ જીવાસ્તિકાય ચેતે છે એટલે ચેતન છે અને જીવવા ઈચ્છે એટલે જીવ છે. વળી આમાંના પ્રથમ ત્રણ તત્ત્વોનું કેવળ અસ્તિત્વ છે અને ત્રણે ય પોત પોતાના સ્વભાવ અર્થાત્ સ્વ ગુણ પ્રમાણેનું કાર્ય પોત પોતાના સ્વ સ્થાને રહીને બાકીના બીજાં કોઈ પણ દ્રવ્યનાં ગુણને લેશમાત્ર ક્ષતિ (બાધા) પ્હોંચાડ્યા વિના કરે છે. ટુંકમાં કોઈ પણ જાતની અસર એટલે