________________
58
-
પદ
११
(રાગ : માલકોશ - વેલાવલ ટોડી)
आतम अनुभव रीति वरीरी आतम. ॥ मोर बनाए निजरूप निरूपम,
तिच्छन रुचिकर तेग धरीरी ॥
આનંદઘન પદ
टोप सन्नाह शूरको बानो, एक तारी चौरी पहिरीरी; सत्ता में मोह विदारत, ऐऐ सूरिजन मुह निसरीरी ॥ केवल कमला अपच्छरसुंदर, गान करे रस रंग भरीरी; जीत निशान बजाइ बिराजे, आनन्दघन सर्वंग धरीरी ॥
-
માતમ. ||૧||
બા. IIII
૧૧
31. 11311
અન્ય મીમાંસકો કરતાં કોઈ અનોખા પ્રકારે અને અનેરી રીતે યોગીરાજ આનંદઘનજીના ૧૧મા પદની મીમાંસા સ્વાનુભૂતિ સંપન્ન ખીમજીબાપાએ કરી
છે.
આ પદને સમજવા માટે પહેલાં તો આપણે વાચકે આપણા માનસ ઉપર` મોર એટલે કે મયુરનું ચિત્ર ઉપસાવવું પડશે અને મયુરના જીવનની ખાસિયતોને, એની લાક્ષણિકતાઓને બારીકાઈથી નિરખવી પડશે. અત્રે આપેલ મયુરના ચિત્રપટ ઉપર નજર કરી લઈને મોરને જાણવા સહિત આ પદથી મહાત્મન્ આનંદઘનજી મહારાજા શું કહેવા માંગે છે તે વિચારીએ.
આપણે સહુએ મોરને જોયો તો છે જ અને મોરથી આકર્ષિત થઈ મોહિત પણ થયાં છીએ અને પ્રભાવિત પણ થયાં છીએ. પરંતુ મોર પક્ષી શું છે ? એનું જીવન શું છે ? એ મોરપક્ષીની ખાસિયત (વિશેષતા) અને મહત્તા શું છે તે હજી આપણી જાણમાં નથી. કવિરાજ આનંદઘનજી આપણા સહુના માનીતા મનોહર મયુર પક્ષીનું સુંદર પ્રાકૃતિક અને આધ્યાત્મિક દર્શન આ પદ દ્વારા
કરાવે છે.
જેમ દત્તાત્રયે પોતાના ૨૪ ગુરૂઓમાં કૂતરા-શ્વાનને પણ સ્થાન આપી પોતે પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લેવું તે મોક્ષમાર્ગ છે.