________________
આનંદઘન પદ - ૨૭.
૧૮૯
હણી નાખે છે તે અરિહંતના ભાવસ્વરૂપને પામીને મુખે જીભથી બોલાયેલાં શબ્દોને જીવનમાં ચરિતાર્થ કરી એ શબ્દોના ભાવરૂપ સ્વયં બને છે. જીભથી ઉચ્ચારાયેલ શબ્દોનું જીવનમાં આલેખન કરે છે. જીભથી બોલાયેલા શબ્દોને એ ચાખે છે - આસ્વાદે છે - અનુભવે છે.
રામ, કૃષ્ણ, શિવ-શંકર, નારાયણ, બુદ્ધ, જૈન, ઈસુ, અલ્લાહ આદિ અનેક વિધવિધ મતવાળા, મઠવાળા પંથોએ પોત પોતાના ઈષ્ટદેવોની ઉપાસના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર નિક્ષેપાઓથી ચાલુ કરી છે. ઉપાસ્યને એટલે કે ઉપાસ્યના ભાવ-સ્વરૂપને પામવા વહેતી કરાયેલી ઉપાસના કાળના પ્રવાહમાં સમયાંતરે ઘસાતી ઘસાતી સુકાતી સુકાતી માત્ર એક પ્રકારની યાંત્રિક ક્રિયા - રૂઢિ - પરંપરા બની ગઈ. સાપ ગયા અને લીસોટા રહ્યાં જેવી સ્થિતિ થઈ ગઈ. - મહોપાધ્યાયજીએ પણ ગાયું છે....
પરમ પ્રભુ સબ જન શબ્દ ધ્યાવે, પઢત પુરાણ વેદ અરૂ ગીતા મૂરખ અર્થ ન ભાવે ઉવત ફીરત ગ્રસ્ત રસ નહિ
પશુચર્વિત ન્યુ ચાવે. ઍગગમ જેવું ફકત રસહિન ચાલ્યા જ કરવાનું !
નામ - સ્થાપના - દ્રવ્યના આલંબનથી જેનું નામ લેવાય છે, સ્થાપના કરી જેની પૂજા કરાય છે અને દ્રવ્ય નિક્ષેપાથી જેના જીવનકવનના ગુણગાન ગવાય છે તેના જેવા ભાવ છે - તેનું જેવું સ્વરૂપ છે તેને પામવાનું છે. નામા - સ્થાપના - દ્રવ્ય એ સાધન - કારણ છે અને ભાવ-સ્વરૂપ એ સાધ્ય - કાર્ય છે. કાળના પ્રવાહમાં પરંપરાગત પ્રણાલિકા રૂઢિ એટલે કે નામ - સ્થાપના - દ્રવ્યરૂપ સાધનો રહ્યાં પણ સાધ્ય - લક્ષ્ય જે ભાવ (સ્વરૂ૫) હતું એનો છેદ ઊડી ગયો.
ત્યાગ વૈરાગ્ય રહ્યાં. જ્ઞાન ધ્યાન ભૂલાઈ ગયા. ત્યાગ વૈરાગ્ય એ નિષેધાત્મક સાધના છે. જ્ઞાન-ધ્યાન એ વિધેયાત્મક સ્વરૂપ સાધના છે. પર સાથેનો સાંધો તોડીએ છીએ પણ સ્વની સાથે સંધાણ થતું નથી. કાતરથી કપડું વેતરીએ
ગુણાદર, ગુણપ્રમોદ, ગુણપ્રશંસા, ગુણપક્ષપાત આત્મલક્ષે હોય.