________________
૧૮૮
૨૭
(૨ણ - આશાવરી)
-
પદ
-
अवधू राम राम जग गावे, विरला अलख लखावे । ॥ अ. ॥
मतवाला तो मतमें राता, मठवाला मठ राता ।
जटा जटाधर पटा पटाधर, छता छताधर ताता ॥ अ. ॥
आगम पढी आगमधर थाके, माया धारी छाके । દુનિયાવાર યુનિસે તાપે, વાસા સવ આશાò | S. II
આનંદઘન પદ
बहिरात मूढा जग जेता, माया के फंद रहेता । ઘટ અંતર પરમાતમ ધ્યાવે, તુર્તમ પ્રાળી તેતા / અ. II
खग पद गगन मीन पद जलमें, जो खोजे सौ बौरा । चित्त पंकज खोजे सो चिन्हे, रमता आनन्द भौरा ॥ अ. ॥
11911
11211
૨૭
11311
||૪||
સાતમા પદમાં જે ભાવ યોગીરાજજીએ વ્યકત કર્યાં હતાં તેના જ અનુસંધાનમાં આ પદમાં પણ તેઓશ્રી બહિરાત્મભાવ ત્યજી અંતરાત્મભાવમાં લીન રહી સ્વયંના પરમાત્મપદના પ્રાગટ્યના ભાવો વ્યકત કરી રહ્યાં છે, જે સાથે તત્કાલીન સમાજની બાહ્ય ધર્મક્રિયાને ધર્મ સમજી લેવાની મૂર્ખતા ઉપર દુ:ખ વ્યકત કર્યું છે.
અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે. અ. મતવાળા તો મતમે રાતા, મઠવાલા મઠરાતા;
જટા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા. અવધૂ૰૧.
રામ રામ હરે રામ હરે કૃષ્ણ હરે હરે ! ણમો અરિહંતાણં ણમો અરિહંતાણં ! ની ધૂન તો જગત આખુંય જગાવે છે પણ કોઈ વિરલા જ એ અલક્ષ્યના લક્ષને પામીને એની અલખ લખાવે છે એટલે કે જગાવે છે અને રામ રામ ! અરિહંત અરિહંત ! બોલેલા શબ્દોને લેખે લગાડે છે. અર્થાત્ રમતે રૂતિ રામ: જે આત્મામાં રમમાણ રહે છે તે રામ અને સર્વ અંતરંગ બહિરંગ આત્મશત્રુ (પુદ્ગલ) ને
રાગદ્વેષ ઘટતાં જાય અને ઉપશમ પરિણતિ વર્ધમાન થતી જાય એ જૈનત્વ છે.