________________
આનંદઘન પદ - ૨૯
૨૦૯
ઊંચો છું. નથી હુ મહાન સ્કૂલ, નથી હું લહાન સૂક્ષ્મ.
આ બધાં તો વ્યવહાર ચલાવવા વ્યવસ્થા સાચવવા માટે મારી અવસ્થાને (પર્યાયને) અપાયેલા નામ છે, જે અવસ્થા બદલાતા બદલાઈ જનારા ભામક નામ છે. આ બધી અસ્થિર અવસ્થાઓમાં અવસ્થિત અધિષ્ઠાતા તો સ્થિર, ધ્રુવ, અચલ, અશ્રુત, અજન્મા, અક્ષર, અમર, અક્ષય, અગુરુલઘુ, અવ્યાબાધ, અવ્યય, અદશ્ય એવો અરૂપી અનામી અને અવ્યવહાર્ચ છે કારણ કે તે અદેહી, અશરીરી, અમૂર્ત છે અને અક્રિય છે. એ જ સાચો “હું છું ! આ બધી અસ્થિર અવસ્થાઓમાં જે “હું પણું કરું છું તેનો તો અભાવ થઈ જનાર છે. માટે તે અહંકાર અર્થાત્ અવળો અહંકાર છે - મિથ્યા અહંકાર છે કારણ કે હું પણું નથી તેમાં ‘હું પણું” કરે છે. હે જીવ! જે “તું” નથી તેમાં તું “હું” “હું કરે છે તે જ તારો અહંકાર છે. એ બધા તો ક્રમભાવી પર્યાય (પલટાનારી અવસ્થા) છે, જે સતત નિરંતર સાથે રહેનાર સહભાવી ગુણ પણ નથી અને ગુણ જેમાં રહેલાં છે તે ગુણી (દ્રવ્ય) પોતે પણ નથી. એ તો લોકોએ લોકવ્યવહાર માટે લોક (જગત)માં આપેલી ઓળખ-સંજ્ઞા-સર્વનામ છે. એ તો જરા વિચાર કે લોકમાં તારું નામ હોવા છતાંય લોકો લોકવ્યવહારમાં જ પાછા શાળામાં, હોસ્પિટલમાં, સરકારી દફતરોમાં, જેલમાં નામથી નહિ પણ નંબરથી ઓળખે છે. હે જીવ! જગતના નકશામાં તું તને બતાવી શકે એમ નથી. તું કશામાં જ નથી તેથી તો એને નકશા કહ્યાં !
માટે જ તો યોગીરાજે પ્રથમ પંકિતમાં જ કહી દીધું કે નામ એ રાખશે અને પરમ મહારસ ચાખશે જે જાતને - પંડને અનામી અરૂપી જાણીને પિંડ (હ)ના નામ અને રૂપનો મોહ રાખશે નહિ અને દેહને અપાયેલાં નામ, રૂપ, તેમજ દેહ સ્વયંને મારા માનશે નહિ. વિનાશી તે મારું નહિ અને મારે તે. વિનાશી નહિ. અવિનાશી એવો હું વિનાશીને મારું કેમ માનું?
નહીં હમ તાતે નહીં હમ સીરે, નહીં દીર્ઘ નહીં છોટા; નહીં હમ ભાઈ, નહીં હમ ભગિની, નહીં હમ બાપ ન બેટા. અવધૂ.૨.
શીત શરીરથી હું શીત સ્વરૂપ નથી કે ઉષ્ણ શરીરથી હું ઉષ્ણ સ્વરૂપ
જ્ઞાન સ્વરૂપના બીબામાં ઢળે તો વીતરાગ બને.