________________
આનંદઘન પદ ૪૩
સમાધિભાવમાં ઠરી જઈ ઠરીઠામ થશે ત્યારે (તબ) તારા પર (તેરે પર) જે સંગની અસર પડેલી (પરેરી) છે તેની પ્રતીતિ - સાચી જાણ થશે કે એ મમતાની હજુયં આછી પાતળી એક દોઢ દિવસ ઘડી બે ઘડી મુંઝવનારી છાયા છે અસર છે જેના કારણે સાચી પારમાર્થિક તેરમા ગુણઠાણની નિર્વિકલ્પતા અને બારમા ગુણઠાણાની વીતરાગતા - સમાધિ હજુ આવતા નથી.
-
૩૧૧
‘રી ચીંચરી’ નું પાઠાંતર ‘રીરીપર’ એમ છે. એ પાઠાંતરને અનુલક્ષીને તેમજ યોગનિષ્ઠ પૂ. બુદ્ધિસાગર સૂરીશ્વરજી રીચીં ચરી એટલે કે પિત્તળ પર એવું અર્થઘટન કરતાં પદના આ ચરણની વિવક્ષા એમ પણ થાય કે હું ચેતન હીરા જેવો - અમુલ્ય રત્ન (જરેરી) જેવો કાંઈ થોડો આ પિત્તળ જેવી મમતામાં જડાઉં (જરાઉ) ? એમાં મારી શોભા શું ? ગધેડા ઉપર થોડી અંબાડી શોભે ? હું જાણું છું કે ઘેર ઘેર ભટકનારી એ માયામમતાઓ કુલટાઓ છે, પિત્તળ જેવી છે અને મારે તેની સાથે જોડાઈને સંબંધ રાખવો એ પિત્તળ ઉપર ઝવેરાત - રત્નોના જડતરને જડવા જેવું છે. એથી તો મારી વગોવણી - બદબોઈ થાય છે. આ હું જાણું છું તેમ તું પણ કોણ છો ? અને તારો મારા પર પ્રેમ કેવો છે તેને પણ હું જાણું છું હવે હું જ્યારે મારું પરમાત્મ સ્વરૂપ જે મારું પોતાનું પોત છે - પોતાપણું છે તેને સંભારીશ ત્યારે તારો જ પ્રસંગ (પરસંગ) (પરેરી) પાડીશ અને તારા જ સંગમાં રહીશ. અર્થાત્ પરમાત્મપદ પ્રાગટ્યથી ચેતન ચેતનાની અભેદતા સધાશે.
ઔસર પાઈ અધ્યાત્મશૈલી, પરમાતમ નિજયોગ ધરેરી; શકિત જગાવે નિરુપમ રુપકી, આનન્દઘન મિલી કેલિ કરેરી. મેરી...૩.
ઔસર - ઔરસ એમ પાઠાંતરથી અથવા ઔસર એટલે ઔષધ - ઓસડ - આત્મઔષધ એવાં... આત્મામૃતરસનું પાન કરીને અધ્યાત્મશૈલીએ આત્મલક્ષી અને આત્મકેન્દ્રિત સાધનામાર્ગે આગળ વધી શૈલેષીકરણમાં પ્રવેશી પોતાના મન વચન કાયાના નિજયોગને, પરમાત્માનું જેવું પ્રદેશ સ્થિરત્વ છે, એવાં પરમ સ્થિરયોગને ધારણ કરીને અર્થાત્ સર્વ યોગવ્યાપારનો સર્વથા નિરોધ કરીને એટલે કે ત્રણે યોગને અકંપ બનાવશે ત્યારે જે અનંત શક્તિ જાગૃત
અહો ! અહોની ચર્યા જ્યાં છે તે આશ્ચર્ય છે.