________________
૩૨૦
પદ
-
૪૫
(૨ાગ : ટોડી)
ठगोरी भगोरी लगोरी जगोरी ममता माया आतम ले मति, अनुभव मेरी और दगोरी ॥
આનંદઘન પદ
प्राननाथ विछरेकी वेदन, पार न पामुं अथाग थगोरी, आनन्दघन प्रभुदर्शन औघट, घाट उतारन नावमगोरी ॥
ગોરી.
૪૫
भ्रात न तात न मात न जात न, गात न वात न लागत गोरी, મેરે સવ વિન વાન પલ્સન, તાન સુધારસ પાનવયો (ગો) રી નોરી. રા
11911
ગોરી. 13/
ઠગોરી ભગોરી લગોરી જગોરી મમતા માયા આતમ લે મતિ; અનુભવ મેરી ઔર ગોરી. ઠગોરી...૧.
યોગીરાજજીનો ચેતન આત્મા જાગૃત થયો છે તેને સૂચવનારા, આત્મજાગૃતિથી . આત્મખુમારી ભર્યો મોહને પડકાર ફેંકતા યોગીરાજજીના હૃદયોદ્ગાર એટલે આ ૪૫મું પદ. ચેતન અને ચેતના એમ ઉભયની ઉકિત તરીકે ઘટાવી શકાય એવું આ પદ યોગીરાજજીની યોગ ચમત્કૃતિ છે કે જેમાંથી એકથી અધિક ગુહ્યાર્થો તારવી શકાય એમ છે.
આત્મવિશુદ્ધિના સાધના માર્ગે આગળ વધતાં ચેતનાત્મા જ્યારે જાગૃત થઈ જાય છે, ત્યારે તેને માયા મમતા કેવા ઠગારા લાગે છે, તે સૂચવતા ચેતનાના કહો તો ચેતનાના અને ચેતનના કહો તો ચેતનના ઉદ્ગારો, પદના આ પહેલા ચરણમાં વ્યકત થાય છે.
હે ઠગોરી એટલે કે ઠગારી માયા મમતા ! અનાદિના અનંતકાળથી તમે મારા ચેતન આત્માને અથવા તો મારી ચેતનાને ઠગતા આવ્યા છો. અત્યાર સુધીનો એ બધોય સમય હું તમારી મોહજાળમાં, મોહની મૂર્છામાં - અજાગૃતપણે ફસાયેલો રહ્યો. પણ હવે હું જાગ્યો છું કારણ કે અનુભવજ્ઞાની એવાં આપ્તપુરુષોના પ્રકૃતિ અને પુરુષ (- આત્મા) નો સંયોગ તે સંસાર, પ્રકૃતિ અને પુરુષનો વિયોગ તે મોક્ષ