________________
પરિશિષ્ટ - ૧
અપેક્ષાએ હાથીને સાવરણી જેવો જણાવ્યો. સૂંઢને સ્પર્શનારે સૂંઢના સ્પર્શના સંદર્ભમાં હાથીને પાઈપ જેવો જણાવ્યો. કાનના સ્પર્શના સંદર્ભમાં તે અંધજને હાથીને સૂપડા જેવો કહ્યો અને દંતશૂળના સ્પર્શની અપેક્ષાએ અંધજને હાથીને સળિયા જેવો કહ્યો.
હવે જે દેખતો ન હતો કે જેને સમગ્ર મહાકાય હાથીનું પૂર્ણ દર્શન હતું, એણે સર્વાગ દર્શન કરીને છયે સુરદાસોને પૂર્ણ હાથીનું શાબ્દિક દર્શન કરાવતાં જણાવ્યું કે, તે પ્રત્યેક સુરદાસનું તેમણે હાથીના જે જે અંગનું સ્પર્શેન્દ્રિયના માધ્યમથી જે અચક્ષુ દર્શન કર્યું હતું, તે તે તેમનું પ્રત્યેક દર્શન તે તે અપેક્ષાએ સાચું તો હતું, પણ તેમનું છે તે દર્શન એકાંગી દર્શન હોવાથી તે આંશિક અને અપૂર્ણ દર્શન હતું, પણ તે મહાકાય હાથીનું સમગ્ર, સર્વાગી પૂર્ણ દર્શન નહોતુ.
એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે કથાનું પાત્ર હાથી મહાકાય હોવાથી અંધજનને બે બાહુમાં સમાવી લઈ તેનું સમગ્ર દર્શન કરવું શક્ય નહોતું. અંધજના એકેક અંગનો સ્પર્શ કરી એકાંગી દર્શન કરી શકતા હોય છે. તેમને પૂર્ણદર્શના કરવા સમર્થ વ્યક્તિ તેમના એકાંગી દર્શનને હાથીના તે તે અવયવ સાપેક્ષા સત્ય જણાવી પૂર્ણ હાથીનું પ્રમાણ-જ્ઞાન કરાવે છે - સર્વાગી દર્શન કરાવે છે.
એ જ રીતે આધસ્થ કે જે અપૂર્ણ છે, અજ્ઞાની કે અલ્પજ્ઞાની છે, જેની પાસે બિંદુ માત્ર જ્ઞાન છે, તેને પૂર્ણજ્ઞાની, એવા કેવળજ્ઞાની જે સમગ્રદર્શન કરવા સમર્થ એવાં સર્વદર્શી, સવા, વીતરાગ તીર્થકર ભગવતે કૃતજ્ઞાન મહાસાગર દ્વારા બિંદુમાંથી સિંધુસમ વ્યાપક થવાની જે કલા, જે વિજ્ઞાન આપ્યું છે તે સ્યાદ્વાર દર્શન છે.
વ્યક્તિ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી એના દ્વારા થયેલ દર્શન અધૂરું એકાંગી હોઈ શકે છે. આમ જ્યાં સુધી આપણે સ્યાદ્ (અપૂર્ણ) છીએ ત્યાં સુધી આંધળા છીએ કેમકે આપણને થતું દર્શન પ્રત્યક્ષ નહિ પણ ઈન્દ્રિયોના માધ્યમથી થતું પરોક્ષ દર્શન હોય છે. આવાં આંધળા આપણે અથડાઈ કુટાઈ મરીએ નહિ, ભટકી નહિ જઈએ તે માટે થઈને પૂર્ણ અને પ્રત્યક્ષ દર્શન કરવાને સમર્થ એવાં વીતરાગી સર્વજ્ઞ તીર્થંકર ભગવંતે આપણને આંધળાને લાકડીની