________________
પરિશિષ્ટ - ૧
સંદર્ભમાં અન્ય વિધાન હોઈ શકે છે તેવો નિરાગ્રહ સૂચક અને અન્ય ધર્મ, અન્ય અપેક્ષાની સ્વીકૃતિના સંકેત રૂપ ‘સ્વાત્’ શબ્દનો પ્રયોગ છે. અંગ્રેજી ભાષાના શબ્દો લઈ વિચારતા ‘સ્યાત્’ શબ્દનો લક્ષ્યાર્થ સુસ્પષ્ટ થાય છે કે.....
2
A sentence in which there are words such as.... If, But, Perhaps, Yet, Only, Or, Also, Little, Less, Few... is 'SYAD'.
એટલું જ નહિ પણ પૂર્ણતાના સંદર્ભમાં ‘સ્વાત્’ શબ્દની વિચારણા કરીએ તો ‘સ્વાદ્’ના સંબોધનથી ભગવાન જિનેશ્વરદેવ આપણને આપણી અલ્પતાનું ભાન કરાવે છે અને પૂર્ણતાનું એટલે કે ‘અસ્યાદ્’ થવાનું લક્ષ બંધાવે છે.
વિશ્વમાં એકથી અધિક દ્રવ્યોનું અસ્તિત્વ છે અને સમગ્ર વિશ્વકાર્ય સર્વ દ્રવ્યના સામૂહિક ગુણકાર્યથી સંભવિત છે. તેથી સમષ્ટિની અપેક્ષાએ પ્રત્યેક પૂર્ણ દ્રવ્ય કે અપૂર્ણ દ્રવ્ય ‘સ્યાદ્’ છે. ઘડિયાળનું કાર્ય ઘડિયાળના બધાંય પૂરજા-ભાગ (spareparts) ના સહિયારા કાર્યનું પરિણામ છે. એમાં પણ સંસારી જીવ તો એના પોતાના શુદ્ધ સ્વરૂપમાં નથી તેથી તે તો સ્યામાં પણ સ્યાદ્ છે.
પંચાસ્તિકાય સ્વરૂપ વિશ્વમાં જે વિશ્વકાર્ય કે સૃષ્ટિ કાર્ય ચાલી રહ્યું છે તે પાંચે અસ્તિકાયના સામુદાયિક કાર્યથી ઘટી રહ્યું છે. સમગ્ર વિશ્વકાર્યમાં પ્રત્યેક અસ્તિકાય (દ્રવ્ય) પોતપોતાનો ફાળો દેશથી આપે છે તે અપેક્ષાએ પ્રત્યેક દ્રવ્ય સ્થાર્ છે.
આમ છતાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધપરમાત્માના જીવો પોતપોતાનું જે ગુણકાર્ય કરે છે તે સંપૂર્ણપણે સતત, સરળ અને સહજપણે થયા કરે છે. એ કાર્યમાં ક્યારેય ખોટકાવાપણું નથી, અર્થાત્ આંતરા કે વિક્ષેપ વિનાનું અવિરત (સતત) થતું કાર્ય છે, ભેદભાવ વિના સરળપણે થતું કાર્ય છે અને કરવાપણા વિના અપ્રયાસ સ્વાભાવિક થયા કરતું કાર્ય છે. તેથી ઉપર્યુકત એ ચારેય દ્રવ્યમાં અસ્યાદ્ના (પૂર્ણતા) છે. આ