________________
પરિશિષ્ટ - ૧
-
વાત પ્રકાશિત થાય છે. જુદી જુદી રહેલી કડીઓ અને આંકડાઓ જુદા જુદા કડી અને આંકડા તરીકે ઓળખાવવામાં આવશે. પરંતુ એ પૃથક્ રહેલાં કડી અને આંકડાને જોડી દેવાતાં તે સુંદર સોનાની સાંકળી રૂપે, ગળામાં પહેરવાની ચેઈનના આભૂષણનું સ્વરૂપ ધારણ કરશે. લાલ અને પીળો એમ બે જુદા જુદા રંગના મિશ્રણથી બનતો રંગ ત્રીજો જ હોય છે જે લાલપીળા રંગ તરીકે ના ઓળખાતા લીલા રંગ તરીકે પ્રસિદ્ધિ પામતો હોય છે. સમાજની દૃષ્ટિએ શરાબા અપેય-અભક્ષ્ય છે. જ્યારે વ્યસની શરાબીને માટે શરાબપાન એ એનું જીવના છે. પરંતુ ડૉકટરના અભિપ્રાય પ્રમાણે શરાબ-દારૂ એની માત્રામાં લેવામાં આવે તો તે દવાનું કામ કરે છે. એટલે જ તો ચિકિત્સામાં દવાદારૂ એવો શબ્દ પ્રયોગ થતો હોય છે. અને જો શરાબ માત્રા કરતાં અધિક પ્રમાણમાં લેવાય તો તે જીવલેણ નીવડે છે. આમ શરાબીને શરાબ ઉપયોગી છે'; સમાજની નજરે ઉપયોગી ‘નથી; જયારે ડૉકટરના મતે ઉપયોગી છે” અને “નથી”.
આ પ્રથમ ત્રણ ભાંગાથી જ્ઞાનીને એના જ્ઞાનમાં શેય પદાર્થ જણાયા. પદાર્થ અય (અજાણ) ન રહ્યો. પરંતુ જે જાણ્યું તેનું કથન કરવાનું આવે છે ત્યારે જાણેલું બધું જ કાંઈ કહી શકાતું નથી. કારણ શું ? એનું કારણ એ છે કે કહેવામાં મર્યાદા આવે છે. જે કહેવાનું હોય છે તે પુદ્ગલના માધ્યમથી, ભાષાવર્ગણાના પુદ્ગલનું આલંબન લઈને કહેવાનું હોય છે, જેમાં ક્રમિકતા હોય છે. જાણવામાં સમસમુચ્ચયતા છે - All at time જ્યારે કહેવામાં ક્રમબદ્ધતા By and by હોય છે. વસ્તુમાં દમ નથી, જ્ઞાનમાં દમ નથી પરંતુ કથનમાં ક્રમ પડે છે. આમ જ્ઞાન અનંત-અગાધ છે જેને કહેનારા અને સાંભળનારાના સમયની મર્યાદા છે, તેથી જણાય બધું પણ બધું કહેવાય નહિ. બધું જ જણાતું અસ્તિ-નાસ્તિ યુગપદ્ એક સમયે એક સાથે કહી શકાતું નથી. એક જ સમયે એક જ વ્યક્તિ પૂર્વાભિમુખ અને પશ્ચિમાભિમુખ ઉભય દિશાસન્મુખ થઈ શકતી નથી. તેમ કેટલુંક વેદન - અનુભવન પણ એવું હોય છે કે તેને શબ્દદેહ આપી નહિ શકાય એવું અનિર્વચનીય, અવર્ણનીય કે અનભિલાપ્ય હોય છે; જેમકે ઘીનો સ્વાદ જે અનુભવાય, જ્ઞાનમાં જણાય પણ કહેવાય નહિ. પોટેશ્યમાં સાઈનાઈડ એવું કાતિલ ઝેર છે કે એને ચાખનારો એના સ્વાદને જણાવવા