________________
પરિશિષ્ટ ૧
ય નથી અને નિદાન પણ થાય એમ નથી. અથવા તો રોગ એવો અસાધ્ય જીવલેણ કેન્સર આદિ છે તો ડૉકટર જાણતા હોવા છતાં દર્દીના હિતમાં કહેતાં નથી. તો વળી પેટના દર્દમાં દર્દી કહેશે કે પેટમાં કળતર છે પણ કહેવાય એવું નથી.
15
તો વળી બીજા ડૉકટર કે પછી તે જ ડૉકટર ફેરતપાસ (Recheck) માં કહેશે કે ભાઈ ! મારી તપાસમાં અને જે રીપોર્ટ કઢાવ્યા છે તે બધું ય જોતાં તો તમને નખમાં ય રોગ નથી. તો પછી તમને જે કાંઈ મૂંઝવણ થાય છે તે શેની છે તે કાંઈ હું કહી શકતો નથી. અને રોગી હશે તે પોતે એમ કહેશે કે કાંઈ જ નથી છતાં જે બેચેની, મુંઝારો, ગભરાટ થાય છે તે સમજાતું નથી, કળાતું ય નથી અને કહેવાતું ય નથી તેમ સહેવાતું પણ નથી.
ક્યારેક કોઈક ડૉકટર એમ પણ કહેશે કે બી.પી. બરાબર છે, કાર્ડિયોગ્રામમાં શંકા છે પણ સ્ટ્રેસ ટેસ્ટ બરોબર નથી એટલે કાંઈ કહી શકાતું નથી. તો રોગી પોતે એમ કહેશે કે કળતર છે ય ખરું અને નથી ય ખરું. ક્યારેક કળતર ઉપડે છે તો કયારેક શમી જાય છે માટે કાંઈ સમજાતું કે કળાતું નથી, કહી શકાતું નથી અને સહી શકાતું નથી.
અંતે હવે સ્યાદ્વાદ ગર્ભિત સપ્તભંગીથી થતું આત્મા વિષયક આધ્યાત્મિક વિશ્લેષણ જોઈશું.
કેવળજ્ઞાની ભગવંત એમના કેવળજ્ઞાનમાં અરૂપી એવાં આત્મપ્રદેશોને જુએ છે તેથી કહે છે કે કથંચિત્ આત્મા છે જ. આત્મા જ્ઞાનમાં શુદ્ધાત્મા તરીકે દેખાય છે, જણાય છે એટલે કહે છે કે પરમાત્મા સ્વરૂપ છે.
છદ્મસ્થને પણ જ્ઞાયકતા, ચેતકતા, વેદકતાના લક્ષણથી આત્મા જણાય છે તેથી કહે છે કે કથંચિત્ આત્મા છે જ. વળી આગમ અનુમાનાદિ પ્રમાણના આધારે કહે છે કે કથંચિત્ પરમાત્મા છે જ. આ પ્રથમ સ્યાદસ્યેવ ભાંગાથી વિચારણા થઈ.
કેવળજ્ઞાની ભગવંતના કેવળજ્ઞાનમાં આત્મદ્રવ્ય પર્યાય સહિત