________________
પરિશિષ્ટ - ૧
21
વળી જ્યાં કથંચિતા, આંશિકતા (સર્વતા) ત્યાં ચાતા છે અને તેથી સ્યાદાદ છે.
અનેકાન્ત, સાપેક્ષ અને સ્યાદ્ એ મૂળ અને ફળરૂપે એકાન્ત, નિરપેક્ષ અને અચાટ્વી વચગાળાની સ્થિતિ છે, જેમ મૂળમાં રહેલ બી ફળ સ્વરૂપે પરિણમતા તે મૂળમાં રહેલ બી પાછું ફળમાં પણ મળે છે. ટૂંકમાં અનેકાન્તનું મૂળ પણ એકાન્ત છે અને ફળ પણ એકાન્ત છે. સાપેક્ષનું મૂળ પણ નિરપેક્ષ છે અને ફળ પણ નિરપેક્ષ છે. સ્યાનું મુળ પણ અસ્યાદ્ છે. અને ફળ પણ અસ્યાદ્ છે. વ્યવહારમાં, કથનમાં ક્રમિકતા છે અને ક્રમિકતા છે તેથી નય છે. અનંત ધર્મયુક્ત પરિપૂર્ણ વસ્તુ તત્ત્વના સ્વીકારપૂર્વક તેના પૃથફ એકેક ધર્મનું જ્ઞાન કે કથન એ નય છે. નય એ સ્યાદ્વાદના વિરાટ સ્વરૂપનો અંશ માત્ર છે એટલા માટે જ સ્યાદ્વાદને સિંધુ અને નયને બિંદુની ઉપમા આપવામાં આવી છે. એવાં અનેક નાયબિંદુ ભેગાં મળે ત્યારે સ્વાતાદ સિંધુ બને છે.
સ્યાદ્વાદ, અનેકાન્તવાદ, સાપેક્ષવાદ એ જૈન દર્શનની વિશાળતા, સર્વગ્રાહિતા, સમગ્રતા, વીતરાગતા, મૌલિકતાને ઉદ્યોત કરનાર યથાર્થ સ્વરૂપ-નિરૂપણવાદ છે.
અનેકાન્તવાદ, સાપેક્ષવાદ અને સ્વાદ્વાદ એ વિવાદ માટેના વાદ નથી પણ જીવની દૃષ્ટિ છે, જીવના ભાવ છે અને જીવનો સ્વયંનો વ્યવહાર તેમજ જગત સમસ્તનો વ્યવહાર છે. વસ્તુસ્વભાવ જ એવો છે અને વસ્તુસ્વભાવ લોકવ્યવહારનો નિયામક હોય છે. લોકવ્યવહાર કાંઈ વસ્તુસ્વભાવનો નિયામક નથી હોતો. આપણા સાંસારિક વ્યવહારમાં સ્યાદ્વાદની સ્વીકૃતિ ગર્ભિત રીતે રહેલી જ છે, પરંતુ લોક તેનાથી અજાણ છે. લોકમાં કહેવત છે કે “આત્મા અમર છે. તો સામે તેથી વિરૂદ્ધ કહેવત પણ છે કે “નામ તેનો નાશ છે”. બંને પરસ્પર વિરૂદ્ધ ભાવ હોવા છતાં તે સહુને સ્વીકાર્ય છે. કારણ કે આત્માને અમર કહેવામાં આત્મ દ્રવ્યની અપેક્ષા છે અને નામ તેનો નાશ કહેવામાં નામ અને રૂપ કહેતાં પર્યાયની ક્ષણિકતાનો દૃષ્ટિકોણ રહેલ છે. એવી જ રીતે પરસ્પર વિરુદ્ધ કહેવત છે કે ‘ન બોલ્યામાં નવ ગુણ', બોલે તેના બોર વેચાય”,