________________
પરિશિષ્ટ - ૧
19
વિચારણા થાય છે. વાસ્તવિક આત્મદ્રવ્ય પર્યાયથી અનિત્ય છે પણ દ્રવ્યથી ધ્રુવ-નિત્ય છે તેથી તો તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર આપવામાં આવ્યું કે “ઉત્પાદવ્યય ઘોવ્ય યુક્ત સત્” સાધનામાં વૈરાગ્ય માટે પર્યાયની ક્ષણિકતાનો વિકલ્પ સારો અને ઉપયોગી છે તેથી જ જૈનદર્શનમાં સાધનામાં દ્રવ્યદૃષ્ટિ ઉપર ભાર મૂકાયો. છે. આ સાધના વિકલ્પો વીતરાગ પ્રાપ્તિ માટે પૂરા હોવા છતાં વસ્તુ સ્વરૂપના યથાર્થ નિરૂપણમાં તેમ જગત વ્યવસ્થાવાદ સમજાવવામાં અધૂરાં છે.
સ્યાદ્વાદ ઉપરાંત સાપેક્ષવાદ અને અનેકાન્તવાદ પણ છે જે સ્યાદ્વાદના અંગરૂપ હોવા છતાં સૂક્ષ્મ ભેદરેખા છે. વળી નય, નિક્ષેપા, પાંચ સમવાયી કારણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચાર સંયોગો આદિ સ્યાદ્વાદના પૂરક છે.
આ વિશ્વમાં દ્રવ્યો એકથી અધિક છે અને તેમનું યુગપદ્ અસ્તિત્વ છે; એટલું જ નહિ પણ દ્રવ્યના ગુણો એકથી અધિક અનેક છે; ઉપરાંત પુદ્ગલ પરમાણુ અને જીવો સંખ્યાથી એક નહિ પણ અનંતા છે; માટે જ પદાર્થ અનેક ધર્માત્મક હોઈ, દ્રવ્યના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે તેના સર્વ ગુણને અનુલક્ષીને સપ્તભંગીથી થતી વિચારણા તે અનેકાન્તવાદ છે.
ગુણ એ દ્રવ્યની મૂડી અર્થાત સંપત્તિ હોવાથી અનેકાન્ત એ વૈભવ છે જ્યારે અનેકાન્તના મૂળમાં રહેલ આધાર દ્રવ્ય તો એક જ છે એટલે એકાન્ત છે, જે અનેકાન્તના મૂળમાં રહેલ એકાન્ત એવી મહાસત્તા છે - સ્વભાવદશા છે.
આ વિશ્વમાં દરેકે દરેક પદાર્થમાં જો એક જ ગુણધર્મ હોત તો અનેકાન્તવાદ હોત નહિ, પરંતુ દરેકે દરેક પદાર્થમાં અનંત અનંત ધર્મો રહેલાં છે માટે અનેકાન્તવાદની અનિવાર્યતા છે. પરંતુ એ અનેક ધર્મ જે દ્રવ્યને આશ્રયીને રહેલા છે તે આધારભૂત દ્રવ્ય તો એક જ છે, તેથી મૂળમાં એકાન્ત છે.
દ્રવ્યો એકથી અધિક છે, દ્રવ્યના ગુણ એકથી અધિક છે અને જયાં એકથી અધિક, બે કે બેથી વધુ વસ્તુ અને વ્યકિતના સંબંધ હોય ત્યાં પ્રેત હોય છે. જ્યાં પ્રેત હોય ત્યાં અપેક્ષા હોય છે. અપેક્ષા હોય ત્યાં સાપેક્ષતા હોય છે. અરસપરસની અપેક્ષાઓ સંતોષાતી નથી ત્યાં પ્રેત-તંદ્રમાંથી બંદ (યુદ્ધ)નું નિર્માણ થાય છે. ચેતન-જડ, રૂપી-અરૂપી, નિત્ય-અનિત્ય, સ્થિર-અસ્થિર,