Book Title: Parampaddai Anandghan Padreh Part 01
Author(s): Suryavadan T Zaveri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain

View full book text
Previous | Next

Page 442
________________ પરિશિષ્ટ - ૧ હોય. પરંતુ જ્ઞાનમાં એ ભેદ છે કે સર્વા કેવળીભગવંતનો ઉપયોગ અક્રમિક હોય પણ વચનયોગ ક્રમિક હોય. જ્યારે અસર્વજ્ઞ શ્વસ્થનો તો ઉપયોગ પણ ક્રમિક હોય અને વચનચોગ પણ ક્રમિક હોય. તેથી ચોથા ભાંગા “સ્યાદ્ધકતવ્ય એવ’નો લક્ષ્યાર્થ એ કરવાનો છે કે વકતવ્યનું મૂળ જે ઉપયોગ છે તે ક્રમિક (સવિકલ્પક) અને અક્રમિક (નિર્વિકલ્પક) એમ બે પ્રકારે છે. આમ પૂર્વના ત્રણ ભાંગા શ્વાસ્થને લાગુ પડે છે અને પછીના ચાર ભાંગા લક્ષ્ય કે અર્થથી જ્ઞાનની સાચી દશાનું સ્વરૂપ સમજાવે છે અને તેમાંય કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવું અામિક છે તેનું લક્ષ્ય કરાવવાનો ઉદ્દેશ છે. જિન કેવળી, દેશના કેવળી કેવળજ્ઞાનમાં જાણે જુએ સર્વ પણ વચનયોગ પુદ્ગલના માધ્યમના કારણે ક્રમિક હોવાથી સર્વ કાંઈ કહી શકે નહિ. વળી વ્યક્તિ વિશેષની પાત્રતા તેવી હોય, ભવિતવ્યતા તથા પ્રકારની હોય તો કહે નહિ. અસ્તિનાસ્તિધર્મ યુગપદ્ હોય પણ કહેવામાં ક્રમિકતા હોય. ઉપરાંત મૂક કેવળી જાણે બધું બોલે નહિ તેથી કહે નહિ. અંત:કૃત કેવળી આયુષ્યની તત્કાળા પૂર્ણતાને કારણે અને સિદ્ધભગવંતો યોગાતીતદશામાં હોઈ વ્યવહાર અભાવે જાણે બધું પણ કહે નહિ. કેવળજ્ઞાની ભગવંતને બધું દેખાય છે અને બધું જણાય છે પણ ભાવિભાવ તથા પ્રકારનો હોય તો સમષ્ટિગત બીના હોય તો સમષ્ટિને જણાવતા નથી તેમ વ્યક્તિવિશેષની વ્યકિતગત બાબતે પણ પાત્રતા ન હોય ભવિતવ્યતા તથા પ્રકારની હોય તો મોન રહે છે. છદ્મસ્થ પણ જાણવા છતાં ભાવિ ગેરલાભને નજર સમક્ષ રાખતા મીન ધારણ કરે છે. વળી કહેવામાં ક્રમિકતા છે તેથી કાળમર્યાદા પણ કહેવામાં નડતરરૂપ બને છે. આ થઈ પાંચમા ભાંગાની વિચારણા. જે છઠ્ઠા અને સાતમા ભાંગામાં નાસ્તિ અને અસ્તિનાસ્તિ ભાંગાથી આ જ રીતે ઘટાવાય. કેવળજ્ઞાની ભાવિના નાસ્તિભાવને પણ જાણે છે પણ તથા પ્રકારની ભવિતવ્યતા. હોય તો મૌન ધારણ કરે છે. “અસ્તિનાસ્તિ અવકતવ્ય ચેવ” ભાંગામાં

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490