Book Title: Parampaddai Anandghan Padreh Part 01
Author(s): Suryavadan T Zaveri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain

View full book text
Previous | Next

Page 436
________________ પરિશિષ્ટ - ૧ ' 11 ભાંગો છે, જે નિર્દેશ કરે છે કે જ્ઞાન કેવું છે. શાસ્ત્રમાં અઢાર હાથીની કથાથી અઢારમાં હાથીથી એકમાં અનેક અને અનેકમાં એકની એવાં કેવળજ્ઞાનની સમજ આપવામાં આવેલ છે. ચોથા ભાંગાથી થતું દર્શન નવિન છે. એમાં વસ્તુ અનેકમાં એક પ્રતીતા થતી હોય છે અને અનેકને સાંકળીને એકનં સમગ્ર ન કરાવાતું હોય છે. અવકતવ્યતા છે પણ અયતા નથી. ભાષાને મર્યાદા છે. બધાં જ શબ્દો વિચારને વ્યકત કરવાના સાધનો છે પણ બધાં જ વિચારો કાંઈ શબ્દ દ્વારા. વ્યક્ત કરી શકાતા નથી. અનંત ોય કેવળજ્ઞાનીના જ્ઞાનમાં ઝળક્યા એટલે કે દેખાયા અને જણાયા. અર્થાત્ જ્ઞાની એના જ્ઞાનમાં શેયની અપેક્ષાએ એક એવી અનેક થયો, છતાં એ અનેકની વચ્ચે એવો ને એવો રહે છે - As it is for ever તે અનેકની વચ્ચે એક હોવાપણું છે. છદ્મસ્થ પણ એના મતિજ્ઞાનમાં એટલે કે ચિત્તમાં કેટકેટલી અઢળક ધારણા સ્મૃતિ કરે છે! છદ્મસ્થ પૂર્ણપણે નહિ પણ આંશિકતાએ એકમાં અનેક અને અનેકમાં એક હોય છે. આવું અનેકમાં એકપણું અને પાછું એકમાં અનેકપણું અનુભવાય ખરું પણ અભિવ્યકત કરી શકાય નહિ. એ અવ્યકત જ છે! વળી એ તો સર્વનો સ્વાનુભવ છે કે બધી અનુભૂતિ-સંવેદના અભિવ્યકત કરી શકાતી નથી. જેમ પોટેશ્યમ સાઈનાઈડનો સ્વાદ અનુભવનારો એ સ્વાદનું વર્ણન કરવા જીવિત રહેતો નથી તેમ મુક્તિસુખને માણનારો મુક્તિધામથી એ સુખનું વર્ણન કરવા પાછો આવી શકતો નથી અને અરિહંત ભગવંતો તથા કેવળી ભગવંતો જે મોક્ષના સુખને જાણે છે તે તેને શબ્દમાં વર્ણવી શકતા નથી એટલે જ મોક્ષસુખને નેતિ નેતિથી વર્ણવાય છે. નિદ્રાના સુખને માણનારા શું આપણે નિદ્રાસુખને વર્ણવવા સમર્થ છીએ ? ચક્રવર્તીઓએ પણ સંખ્યાબંધ રાણીઓના સહવાસને ત્યાગી નિદ્રા સુખને - નિદ્રારાણીને આધીન થવું પડતું હોય છે ત્યારે જ પછીના ઊઘડતા પ્રભાતથી શરૂ થતાં દિવસનો દૈનિક વ્યવહાર શકય બનતો હોય છે. નિદ્રામાં સાથે અને પાસે કાંઈ નથી હોતું છતાં સુખ છે તેમ મોક્ષમાં

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490