SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ ' 11 ભાંગો છે, જે નિર્દેશ કરે છે કે જ્ઞાન કેવું છે. શાસ્ત્રમાં અઢાર હાથીની કથાથી અઢારમાં હાથીથી એકમાં અનેક અને અનેકમાં એકની એવાં કેવળજ્ઞાનની સમજ આપવામાં આવેલ છે. ચોથા ભાંગાથી થતું દર્શન નવિન છે. એમાં વસ્તુ અનેકમાં એક પ્રતીતા થતી હોય છે અને અનેકને સાંકળીને એકનં સમગ્ર ન કરાવાતું હોય છે. અવકતવ્યતા છે પણ અયતા નથી. ભાષાને મર્યાદા છે. બધાં જ શબ્દો વિચારને વ્યકત કરવાના સાધનો છે પણ બધાં જ વિચારો કાંઈ શબ્દ દ્વારા. વ્યક્ત કરી શકાતા નથી. અનંત ોય કેવળજ્ઞાનીના જ્ઞાનમાં ઝળક્યા એટલે કે દેખાયા અને જણાયા. અર્થાત્ જ્ઞાની એના જ્ઞાનમાં શેયની અપેક્ષાએ એક એવી અનેક થયો, છતાં એ અનેકની વચ્ચે એવો ને એવો રહે છે - As it is for ever તે અનેકની વચ્ચે એક હોવાપણું છે. છદ્મસ્થ પણ એના મતિજ્ઞાનમાં એટલે કે ચિત્તમાં કેટકેટલી અઢળક ધારણા સ્મૃતિ કરે છે! છદ્મસ્થ પૂર્ણપણે નહિ પણ આંશિકતાએ એકમાં અનેક અને અનેકમાં એક હોય છે. આવું અનેકમાં એકપણું અને પાછું એકમાં અનેકપણું અનુભવાય ખરું પણ અભિવ્યકત કરી શકાય નહિ. એ અવ્યકત જ છે! વળી એ તો સર્વનો સ્વાનુભવ છે કે બધી અનુભૂતિ-સંવેદના અભિવ્યકત કરી શકાતી નથી. જેમ પોટેશ્યમ સાઈનાઈડનો સ્વાદ અનુભવનારો એ સ્વાદનું વર્ણન કરવા જીવિત રહેતો નથી તેમ મુક્તિસુખને માણનારો મુક્તિધામથી એ સુખનું વર્ણન કરવા પાછો આવી શકતો નથી અને અરિહંત ભગવંતો તથા કેવળી ભગવંતો જે મોક્ષના સુખને જાણે છે તે તેને શબ્દમાં વર્ણવી શકતા નથી એટલે જ મોક્ષસુખને નેતિ નેતિથી વર્ણવાય છે. નિદ્રાના સુખને માણનારા શું આપણે નિદ્રાસુખને વર્ણવવા સમર્થ છીએ ? ચક્રવર્તીઓએ પણ સંખ્યાબંધ રાણીઓના સહવાસને ત્યાગી નિદ્રા સુખને - નિદ્રારાણીને આધીન થવું પડતું હોય છે ત્યારે જ પછીના ઊઘડતા પ્રભાતથી શરૂ થતાં દિવસનો દૈનિક વ્યવહાર શકય બનતો હોય છે. નિદ્રામાં સાથે અને પાસે કાંઈ નથી હોતું છતાં સુખ છે તેમ મોક્ષમાં
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy