________________
પરિશિષ્ટ - ૧
સાથે અને પાસે કાંઈ નથી હોતું છતાં સુખ છે જે સાચું અને નિત્ય સુખ છે. માટે જેમ જીવનમાં બધું છોડીને નિદ્રારાણીને શરણે જવું પડતું હોય છે તેમાં જીવે સઘળાં દુન્યવી સુખને છોડીને એ બધામાંથી છૂટા થઈને જ સાચું, શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, શાશ્વત, સર્વોચ્ચ સુખ મેળવવું પડશે. જે અંગ્રેજીમાં કહીએ d - 'Pure, Perfect, Personal, Permanant and Paramount Happiness' છે. એ તો એવું છે કે “ચાખો તો જાણો !” ચાતુ કથંચિત શબ્દનું મહાભ્ય આ અવકતવ્યનો ચોથો ભાગો જ સમજાવે છે કે હે ભવ્યાત્મા ! તું કથંચિત-અંશ-સ્વાદ્ય છે પણ સંપૂર્ણ નથી, અસ્યાદ્ નથી તો તારા ચાસ્પણામાં સવ્યવહાર તો જ થશે જો તું સ્યાદ્વાદ શૈલીને અપનાવી વીતરાગ અને વિરાટ (સર્વદર્શી-સર્વ) થવા માટે દષ્ટિને માધ્યસ્થ અને વિશાળ બનાવીશ.
આમ આ ચોથા ભાંગાથી અસ્તિત્વનો કે નાસ્તિત્વનો ઈન્કાર નહિ કરતાં તેનો સ્વીકાર કરવા સહિત અભિવ્યક્તિની અસમર્થતા બતાવાઈ છે.
યતા છે પણ વક્તવ્યતા નથી. આપણા વ્યવહારનો શબ્દ છે “એહસાસ છે તેનો લક્ષ્યાર્થ આ ચોથા ભાંગાથી પ્રાપ્ત થાય છે.
હવે પાંચમાં ભાંગા દ્વારા કહે છે કે વસ્તુ છે પણ અવકતવ્ય છે. આ ભાંગાથી અસ્તિત્વનો સ્વીકાર છતાં તેની અભિવ્યક્તિની અસમર્થતા બતાડાઈ છે. ભગવાનના ગુણો અનંતા છે કે ‘હજારો જીવાથી હજારો વર્ષે પણ વર્ણવી શકાતા નથી તેમ પત્તા-પર્ણો પત્ર બની જાય, શાખા કલમ બની જાય અને દરિયાનું પાણી શ્યાહી બની જાય તો પણ લખી શકાય એમ નથી”, એવું જે કહેવાય છે તે આ પાંચમા ભાંગાનો પ્રકાર છે. કૂવો ગાળવાના પ્રસંગે જમીન તો પસંદ કરવામાં આવી. જમીન નીચે પાણી છે એ નિશ્ચિત છે પણ પૂછવામાં આવે તો નિષ્ણાત પણ કહેશે કે પાણી છે પણ આ પસંદ કરાયેલ સ્થળે તે મળશે જ કે કેમ તે કહી શકાય નહિ. અદાલતમાં પણ વ્યવહાર છે કે આરોપી-અપરાધી ઉપર અપરાધ કર્યાની શંકા છે, આરોપ મુકાયો છે પણ તે સાબિત થાય ત્યારે તે અપરાધી ગુનેગાર જાહેર થશે અને સજા ફરમાવાશે પણ અત્યારે કાંઈ નિશ્ચિત કહી શકાય નહિ. જાડો હષ્ટપુષ્ટ છે એટલે સાજો છે તેમ