________________
આનંદઘન પદ - ૪૬.
૩૩૧
સામે બાઝતા નથી. જેમ તો પથરાને બાચકા ભરે એમ નિમિત્તને શત્ર માની પોતાનો રોષ ઠાલવતા નથી. એ તો સિંહની જેમ પથરો મારનારને - કારણને પકડે છે અને એને શત્રુ ગણી પછાડે છે. મૂળ શત્રુ તો મોહ અને માયા છે. કર્મ પણ વાસ્તવિક શત્રુ નથી. કર્મો તો મોણલિની લડાઈમાં સહકારી હોવાથી ઉપકારી છે, કારણ કે કર્મો તો ઉદયમાં આવી આવીને ખરી પડી આત્માને નિર્મળ અને હળવો બનાવે છે. નાઉની જગ્યાએ પાઠાંતર ભાલે પણ છે. સૂરા તો તે કહેવાય કે શત્રુને એવાં પછાડે કે ફરી ઊભા નહિ (નાક) થાય અથવા તો ભાઉ અરિરિ એટલે કે ભાવ દુશમનોને પછાડે અને પરભાવમાંથી સ્વભાવમાં આવે. અથવા તો સૂરા તેને કહેવાય કે જે મિત્રને મદદ કરે અને શત્રુને પછાડે.
જેમ ફુલમાં સુગંધ, તલમાં તેલ, દૂધમાં ઘી, ઈંધણમાં અગ્નિ દ્રવ્યથી અભિન્ન રહેલ છે એમ આત્માનો ધર્મ આત્માથી અભિન્ન પણે આત્મામાં રહેલો છે. એટલે કે ધર્મની તાત્વિક વ્યાખ્યા કરતાં શાસ્ત્રકારોએ વઘુ નવો ઘમ્મો II એમ કહ્યું. ધર્મનો મર્મજ એ છે કે વસ્તુ-દ્રવ્ય, વસ્તુના-દ્રવ્યના સ્વભાવમાં હોવી તે વસ્તુનો ધર્મ છે માટે ધર્મનો મર્મ એ છે કે આત્માને આત્મધર્મમાં પ્રસ્થાપિત કરવો એટલે કે મોહમુકત - કર્મમુક્ત કરવો. તત્ત્વની આંતરશોઘ કરી આત્માની ઊંડી ગહેરાઈમાં ડૂબકી માર્યા સિવાય અન્ય બીજી કોઈ રીતે કે અન્ય બીજે કશેથી પણ આત્મસૂઝ કે આત્મબોધ થાય એમ નથી. આત્મધર્મ આત્મામાંથી પ્રગટે, બાકી બીજે કશેથી એ ધર્મનો મર્મ પામી શકાય એમ નથી.
ઉપજવું અને વિણસવું એ પુદ્ગલનો ધર્મ છે. તેથી પુદ્ગલ આશ્રિત આત્મા (મિશ્રચેતન)નો પણ એ ધર્મ છે. જ્યારે આત્મા એના મૂળ શુદ્ધ મૌલિક સ્વરૂપમાં તો અમરપદનો સ્વામી છે. પરમાનંદરૂપ ઘન સ્વરૂપ એ આત્માનું ચિરપદ - સ્થાયીપદ છે. એ પદને પકડીને - એને લક્ષમાં - કેન્દ્રમાં રાખીને જે કોઈપણ તે અમરપદનું ધ્યાન કરશે તે ત્વરિત મુકિતપદને પામશે.
પદનો બોધ એ છે કે અરિ કહેતાં દુમન એટલે દ્રવ્યાનુયોગ અને ફક્ત
ક્ષારફ ભાવ જેટલો વિશેષ સમજાય તેટલો વિશેષ ક્ષયોપશમ ભાવ તૈયાર થાય.