________________
આનંદઘન પદ - ૪૯
ઉપલ
સુવર્ણ - સારી ઊંચી જાતનો પ્રકાશ છે કે એમાં અક્રિય રહેતે છતે, બધું સ્થિર રહી, ગમનાગમન કર્યા વિના જણાય જાય છે અને વળી એ જણાવા છતાં, દેખાવા છતાં એ એના નિરંજન શુદ્ધ સ્વરૂપમાં જ રહે છે. કર્મની રેખા સરખી સ્પર્શતી નથી. મારા આવા નાથ - સ્વામીને કઈ મહેરબાની કરી મને મેળવી. આપો એમ યોગીરાજજી વિનતિ કરે છે.
આત્મા નદી સંયમતોયપૂર્ણા, સત્યાવહાશીલતાથોર્મિ: તત્રાભિષેક કુરુ પાંડુપુત્ર ! ન વારિણા શુદ્ધયતિ ચાન્તરાત્મા..
ઉપરોકત ચરણ - એકના અનુસંધાનમાં કવિરાજ આ શ્લોક ટાંકીને ઉપરના સ્નાનથી સર્યું - મંજન (સ્નાન) શિર પડો દાહ રે ની વાતનું સમર્થન કરે છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ પાંડુપુત્ર અર્જુનને કહે છે કે, હે પાંડુપુત્ર ! આત્મા એ નદી છે જે સંયમરૂપી જલથી પૂર્ણ છે, સત્ય પ્રવાહવાળી એટલે કે સ-અવિનાશી-શુદ્ધત્મા-ધુવતત્ત્વ તરફ પ્રવાહિત થનારી છે, શીલ સદાચાર એ એના તટ-કિનારા છે અને દયા-કરણા રૂપી તરંગો (ઊર્મી)થી તરંગીત છે. તું એવી આત્મા નદીમાં સ્નાન કર અને તારા કર્મમેલ (કર્મમલ) ને દૂર કરી શુદ્ધાત્મા બન. આત્માને અંતરાત્માને શુદ્ધ કરવા માટે બહારના વારિ-જલની જરૂર નથી. બહારનું સ્નાન તો શિરદાહ શિરપીડા વધારવા જેવું છે કેમકે એ જલસ્તાનથી તો શુદ્ધિ થવાના બદલે આત્મા ઉપરથી કર્મમલથી મેલો-મલિન થાય છે. સ્નાન એ ધર્મ નથી, પછી તે ગંગાસ્નાન, પ્રયાગ સ્નાન કે ક્ષિપ્રાનદીનું કુંભમેળાનું સ્નાન કેમ ન હોય ?
કન સેન જાને પર મનકી, વેદના વિરહ અથાહ? થર થર ધ્રુજે દેહડી મારી, જિમ વાનર ભરમાહ રે. મુને.૨.
મનની વ્યથા (સેન-સહેવું) બીજો કોણ છે તે જાણી શકે ? ચેતનાને સ્વામી ચેતનના વિરહની વેદના-પીડા પાર ન પામી શકાય એવી અથાગ છે અથવા તો બીજાના મનની પીડાને પરખવી, એ ભારે કઠિન કામ છે. કોઈ સેન-સજ્જન પુરુષ જ તે પારખી શકે છે. એક તો વિરહની અત્યંતત કારમી વેદના છે અને તેમાં પાછું ધૈર્ય ટકાવી રાખવાનું છે. વળી એ વિરહની વેદનાની
નવા ઋણ ઊભા કર્યા વિના જૂના ઋણ ચૂકવતા જઈ ચોપડો ચોખ્ખો કરતાં જાઓ!