________________
૩૫૮
આનંદઘન પદ - ૫૦
વિપરીત ભાવો સ્પર્શી જાય ત્યારે સાધક જીવ પોતાની તે વેદના-વ્યથા અનુભવી મિત્રો આગળ હૃદય ખોલીને કહે છે અને વ્યથામાંથી છૂટકારાના ઉપાયો સૂચવવા. જણાવે છે. સમતા-ચેતના પોતાના હિતેચ્છુ ભાઈ વિવેકમિત્ર આગળ પોતાના અંતરમનનીવાતો જણાવે છે અને પૂછે છે કે અનુભવજ્ઞાની પ્રીતમને કેવી રીતે મનાવવા - “કેસે મનાસી?” અર્થાત્ સ્વામી ચેતનને વીતરાગતાના પથ ઉપર કેમ કરીને ચડાવવા ? અંતર મથામણ જે દ્વિધા, જે અવઢવ, જે હાલમડોલમાં છે તે જણાવતા ચેતના - સમતા કહે છે કે છિન નિર્ધન સઘન-ક્ષણવારમાં હું રસ્તા ઉપર રઝળતો રખડુ ગરીબ - નિર્ધન ભિખારી તો બીજી ક્ષણમાં ધના સંપત્તિના માલિક હોઉં એવી પલમાં માસો પલમાં તોલો જેવી ચિત્તની ચંચળ , અવસ્થા થઈ ગઈ છે. કયારેક ઘડીકમાં કર્મમળથી મલિન - સમલરૂપ બનેલો હોઉં તો ઘડીકમાં નિર્મળ આત્મગુણોને અનુભવનાર હોઉં એવા ક્ષણક્ષણમાં પલટાતા અનુભવથી ચિત્તમાં ખળભળાટ સંક્ષોભ થાય છે. આવા રૂપકો મારા અંતરમા કોણ બતાવી રહ્યું છે ? મારો આત્મા કાંઈ આવો ડામાડોળ નથી. એ તો અક્રિય અને પરમસ્થિર સ્વભાવી છે. તો પછી ચિત્ત કેમ આવી અવસ્થાનો. ભોગ બને છે ? ચિત્તતંત્ર કેમ ડહોળાઈ જાય છે એ જ સમજાતું નથી.
- જિનમેં શક તક કુનિ જિનમે, દેખું કહત અનાસી; વિરજ ન વિચ્ચે આપા હિતકારી, નિર્ધન ઝૂઠ ખલાસી. અન...૨.
છિનમેં - એક ક્ષણે તો હું શક્ર એટલે ઈન્દ્રના જેવી સંપદાઓનો માલિક હોઉં એવી અનુભૂતિ થાય છે તો એની વળતી બીજી ક્ષણે તો તક્ર કુનિ - ફરી જોતાં ખાટી છાશ જેવો તુચ્છ કે જેનું કોઈ મુલ્યાંકન નથી અને ફેંકી દેવી - નાશ કરવી પડે એવી છાશ તુલ્ય મને જોઉં છું અથવા તો છાશ પીનારા ભરવાડ જેવો ઘેટાં-બકરાં ચારનારા તરીકે નીચે ઉતરી ગયેલી મારી જાતને જોઉં છું. આવા બંને છેડાના ભાવો ચિત્તમાં અનુભવાય છે અને તે ઉભય સારી નરસી અનુભૂતિને હું જ્ઞાતા-દષ્ટ ભાવે જોઈ-જાણી રહ્યો છું એમ જો કોઈને કહું છું તો પંડિતો-વિદ્વાનો મને સામો પ્રશ્ન પૂછે છે કે આત્મા તો અનાસી એટલે કે અવિનાશી એવો શાસ્વત છે, જે અરૂપી હોઈ કોઈની નજરે ચડે એમ નથી, તો પછી એ અનાસી તને કેમ કરી આવે બે સ્વરૂપે દેખાય છે ? એ તો મારી
કયાંય કશે કોઈને અડીએ નહિ તો નડિયે નહિ અને ઠંડાઈએ નહિ.