________________
આનંદઘન પદ - ૪૭
૨૩૩
પદ - ૪૭ (રાગ : ટોડી)
पिय बिन निशदिन, झूलं खरीरी. पिय. लहुडी वडीकी कहानी मिटाइ, द्वारतें आंखे कवन टरीरी ॥ पिय. ||१|| भूखन तन भौंक न ओढे, भावेन चोंकी जराउं जरीरी, शिवकमला आली सुख न उपावत, कौन गिनत नारी अमरीरी ॥ पिय. ॥२॥ सास उसास विसास न राखे, निणद निगोरी भोर लरीर; और तबीब न तपत बुझावत, आनन्दघन पीयूष जरीरी ॥ पिय. ॥३॥
જેમ ગણધર ભગવંત ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન પ્રાગટ્યનું ઝૂરણ હતું એવું જ ઝૂરણ યોગીરાજજી આનંદઘનજીને હતું જે એમણે એમના ઘણા બધાં પદોમાં ઘણી ઘણી વિધવિધ રીતે અભિવ્યકત કર્યું છે. એવું જ કૂરનપદ આ સુડતાલીસમું છે.
પિય બિન નિશદિન, મૂરું ખરીરી પિય. લહુડી વકીકી કહાની મિટાઈ, દ્વાર આંખે કવન ટરીરી. પિય..૧.
સમતા પોતાની સખી સુમતિ શ્રદ્ધાને કહી રહી છે કે હે સખી ! પતિ વિના (બિન) હું ખરેખર પૂરી રહી છું.
આ નાની (લહુડી - લઘુ) વહુ લટકારી મમતા અને વડેરી (વડીકી) મોટી વહુ સમતા એ બે પાત્રોની નાટકીય ઢબની કથની (કહાની) - વાર્તા ચિત્તમાંથી મિટાવી (મિકાઈ) દઈને ભેદ ભૂંસી નાખ્યા છે. જ્યાં સુધી આ ભેદ ચિત્તમાં રમતો હતો ત્યાં સુધી એ ભેદ ધ્યાનમાં નિશ્ચિત ધ્યેય ઉપર ચિત્તને એકાગ્ર થવામાં આડે આવતા હતાં. અર્થાત્ મમતા-સમતાના નાના મોટાના ભેદને નાના મોટાની શરમ (કાંનિ એ કહાનીનો પાઠાંતર છે) બાજુએ રાખી બારણે (કારતે) - ઉંબરે આંખનું એક મટકું પણ માર્યા વિના (આંખ કવન ન ટરીરી) અર્થાત્ મીટ માંડીને - આંખો ટેકીને હું મારા પ્રિય (પિય) સ્વામી
અધર્મ સમજાઈ જશે, તો ધર્મ સમજાવવો નહિ પડે, અધર્મને કાઢવો એજ ધર્મ.