________________
૩૩૪
આનંદઘન પદ - ૪૭
ચેતનની વાટ જોયા કરું છું કે કયારે આ મારા વિરહકાળનો અંત આવે એ માટે હું મનમાં વિચાર દાવાનળમાં ઝૂર્યા કરું છું. ટૂંકમાં કહેવાનું આધ્યાત્મિક તાત્પર્ય એ છે કે પરમતત્ત્વ એવાં પરમાત્મતત્ત્વને પામવા માટે ચિત્તમાં તરહ તરહના વિકલ્પના મનતરંગો ઉઠચા કરે છે તે આંખને એટલે કે અહીં ચિત્તને પરમ તત્ત્વ ઉપર ટકી (ટરીરી) રહેવામાં - સ્થિર થવામાં બાધક બને છે.
પટ ભૂખન તન ભૌક ન ઓઢ, ભાવેન ચોંકી જરાઉ જરીરીક વિકમલા આલી સુખ ન ઉપાવત કૌન ગિનત નારી અમરીરી.
પિય...૨.
વસ્ત્ર (પટ)ની ભૂખી (ભૂખન) કાયા (તન) ઉપર શૂળ ભોંકાતા (ભોંક) હોય એવી વેદના થવાથી શરીરને વસ્ત્રો ઓઢવા વડે કે ચોંકી - ચોકી, જરાઉ - જડતર, જરીરી - ઝવેરાત આદિના આભૂષણોથી સજાવવું - શણગારવું ભાવતું (ભાવ) - ગમતું નથી. હે સખી ! (આલી), જ્યાં સુધી શિવકમલા એટલે કે શિવલક્ષ્મી - મોક્ષલક્ષ્મી - કેવલ્યલક્ષ્મી રૂપ આત્મલીનતા - આત્મરમમાણતાનું સુખ નહિ () પામું (પાવત) ત્યાં સુધી આ અમરાપુરી દિવલોક)ની અમરીરી એટલે અપ્સરાઓ - દેવાંગનાઓના મળતા સુખ કોઈ ગણનામાં લેવાં જેવાં ગણનાપાત્ર - નોંધવાલાયક સુખ નથી. પદના આ બીજા ચરણ દ્વારા યોગીરાજનું કહેવાનું આધ્યાત્મિક તાત્પર્ય એ છે કે સમતા - ચેતનાને વચ્ચે વચ્ચે પોતાના સ્વામી ચેતનનું સુખ છઠ્ઠા ગુણઠાણેથી સાતમાં ગુણઠાણાની સ્પર્શના કરતાં ચેતના-ચેતનના અભેદ પરિણમનનું - અપ્રમત્તતાનું નિર્વિકલ્પતાનું સુખ મળે તો છે પણ એ સુખ ટકતું નથી. કારણ કે આત્મામાં અધ્યાત્મ સાધનાના સંસ્કારનું દઢીકરણ થયું નથી, તેથી ચેતન સાતમે ગુણઠાણેથી સ્થિર થઈ શ્રેણિએ નહિ ચઢતાં છઠ્ઠા ગુણઠાણાને પણ ટકાવવા અસમર્થ બને છે અને નીચે ઉતરી મમતાના પડખે ચઢી જાય છે. એટલે ચેતના - સમતાને પાછું સ્વામી ચેતનના વિયોગનું દુ:ખ રહે છે. એટલે ચેતના - સમતા કહે છે કે હે સખી ! જ્યાં સુધી મોક્ષલક્ષ્મીનું શિવસુખ પ્રાપ્ત નહિ કરું ત્યાં સુધી મારે આમ જ સ્વામીના સંયોગ અને વિયોગ સહન કરતાં રહેવાનું છે. હવે આવા સ્વામીના વિયોગમાં દેવલોકની દેવાંગનાઓ કે અમરાપુરીની
સ્વભાવનો પ્રભાવ જ પ્રકૃષ્ટ હોય છે અને એવો પ્રભાવ જ સ્વભાવમાં લઈ જાય છે.