________________
૩૪૬
આનંદઘન પદ - ૪૮
ગુણો સંભવી શકે છે, ત્યાં પણ મોક્ષમાર્ગ છે અને જીવ સમ્યગ્દર્શન પામી શકે છે એવું ગચ્છના આગ્રહવાળાને લાગતું જ નથી. પક્ષપાતી બુદ્ધિથી કષાય પરિણતિમાં ઊંડો ઉતરતો જાય છે પછી નિષ્પક્ષ રહી શકતો નથી. દુનિયામાં ધર્મને નામે અનેક લડાઈઓ થઈ છે. કેટલીક વાર ઉપર ઉપરથી શાંત દેખાતા માણસો પણ ધર્મને નામે લોહીની નદીઓ વહેવડાવે છે. મુસલમાનોએ જ એમના પોતાના મજુરને અનલહક હું ખુદા છું કહેવા માટે ફાંસીએ ચઢાવ્યો અને જીસસ ક્રાઈસ્ટને પણ યાદીઓએ ફાંસી આપી. જ્યાં ઝનૂન છે, મતાગ્રહ, મહાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ છે ત્યાં ઉપશમભાવ નથી અને તેથી ત્યાં ધર્મ નથી.
કેણે તે થાપી કેણે ઉથાપી, કેણે ચલાવી કિણ રાખી; કેણે જગાડી કેણે સૂઆડી, કોઈનું કોઈ નથી સાખી. માયડી..પ.
અથવા
કેણે તે થાપી કેણે ઉથાપી, કેણે ચલાવી કિણ રાખી;
એક મનો મેં કોઈ ન દીઠો, કોઈને કોઈ નવી સાખી. અમુક મતવાદીઓએ સ્થાપના નિક્ષેપો કે જેમાં ધર્મભાવની એકતા હતી તેમાં પણ ભેદ પાડ્યા. કેટલાકે ચક્ષુ વગરની મૂર્તિની ઉપાસના સ્વીકારી તો કેટલાકે ચલુવાળી મૂર્તિની ઉપાસના માની, તો વળી ઢંઢિયા મતવાળાએ આખો સ્થાપના નિક્ષેપો જ ઉડાડ્યો. મૂર્તિને જ ઉત્થાપી અને ફકત અમૂર્ત ઉપાસનાની માન્યતા જ સ્વીકારી.
વ્યવહારનચે પ્રભ શાસનપતિ છે તેથી શાસનના રાજા-દેવાધિદેવ છે. ક્યારેય પણ કોઈ પણ રાજ્યમાં આંખ વગરનો રાજા ન બને એનો ખ્યાલ રાખવો જોઈએ. સ્થાપના નિક્ષેપે મૂર્તિસ્વરૂપ પ્રભુને ચક્ષુ - આંખ હોય તે બરાબર છે. વળી જો આપણો જીવન વ્યવહાર પ્રતીક, પ્રતિનિધિ અને પ્રતિકૃતિથી હોય તો આપણી આરાધનામાં પણ એને સ્થાન હોય તે યોગ્ય જ છે. ભગવાનના વચનયોગનો નિક્ષેપો જે આગમ શાસ્ત્રો છે એના શબ્દો પણ જડ છે છતાં તે જો સ્વીકાર્ય હોય તો પછી કાયયોગની સ્થાપનાનિસેપે
નિત્યને આધારે નિત્યતા અને અનિત્યના આધારે અનિત્યતા.