________________
આનંદઘન પદ - ૪૬
કહેતાં હણવાની ક્રિયા તે ચરણકરણાનુયોગ એ ઉભયની સાધનાથી અરિહતમાંથી તું અરિહન્ત બનવાનો આત્મપુરુષાર્થ તું યુદ્ધના ધોરણે કર, જેથી ભવભ્રમણમાંથી મુક્ત થઈ આત્મા એના આત્મધર્મન - પરમાત્મસ્વરૂપને પામે.
૩૩૨
આ માટે અવળે માર્ગેથી પાછા વળી સવળે માર્ગે ચઢાવી દેનારા સ્વાનુભૂતિ સંપન્ન અનુભવી જ્ઞાની ગુરુની જરૂર છે. એવાં ગુરુ જો જીવને ભેટે અને જીવમાં પણ તથાપ્રકારની યોગ્યતાનો પરિપાક થયો હોય તો કાર્ય સીઝે. મૂળમાં તો જીવને શિવ બનવાની લગની લાગવી જોઈએ અને ભવભ્રમણનો ત્રાસ થવો જોઈએ તો જ વિઘ્નો સામે અડીખમ ઊભા રહી શકાશે અને જીવવીર્યને આત્મપક્ષે ઢાળી પરમાત્મપદ પામી શકાશે. જીવવીર્ય એ ત્રાજવાની તુલા - કેન્દ્ર સ્થાને છે. એ કઈ બાજુ ઢળીને કઈ બાજુનુ પલ્લું નમાવે છે એની ઉપર બધોય મદાર છે.
筑
કોઢિવર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં વિલય પામતું હોય તો અનાદિનો વિભાવ આત્મજાગૃતિના બળે સ્વભાવમાં કેમ ર્વાહ પલટાય ?
ભૂતકાળના પુણ્યકર્મને લઈને આવેલો પુણ્યશાળી છે પણ વર્તમાનમાં પુણ્યપુરુષાર્થ ખેડનારો ભાગ્યશાળી છે.
વસ્તુસ્વરૂપ જો વિધેયથી ન સમજાતું હોય, તો નિષેધથી તરત સમજાઈ જશે.