________________
આનંદઘન પદ -
૪
૩૧૫
પશુ, પક્ષી, મનુષ્યોને કામમાં આવે છે. આવી અકામ નિર્જરા કરતાં થકાં કર્મણિ પ્રયોગમાં રહીને ક્રમિક વિકાસને પામી ઊર્ધ્વગમન કરતાં મનુષ્યગતિને પામે છે. આ વૃક્ષો મૂક સંદેશ આપે છે કે છેદાઈ, ભેદાઈ, ચૂંટાઈ, ઘસાઈને પણ બીજાના કામમાં આવશો તો ઉપર ઉઠશો - વિકાસ સાધશો. વ્યકિત, વ્યક્તિ કે સમિષ્ઠના કામમાં આવે છે ત્યારે તે સ્વયં ગુણી કહેવાય છે અને એનો વ્યક્તિ કે સમષ્ઠિ પ્રતિનો વહેવાર ગુણ કહેવાય છે. ગુણથી ગુણાકાર થતાં જાય છે અને શ્રેણિ મંડાય છે. “ll પરસ્પરોપગ્રહ નીવાનામ્ ”
ચેતન અને ચેતનાને પોતામાં વર્તતી મિથ્યાત્વતા - વિષમતા - વિજાતીય પ્રવાહિતાથી થતાં નુકસાનની પ્રતીતિ થવાથી હવે પરસ્પરની સજાતીય પ્રવાહિતાની અનિવાર્યતાને સ્વીકારી, પૂર્વના ૪૩માં પદમાં ચેતન ચેતનાને સંબોધી કહે છે કે તું મારી જ છે અને મારી જ રહેવાની છે. માટે હવે તું ડર રાખ નહિ અને ફિકર ચિંતા કર મા ! એના પ્રત્યુત્તર રૂપે હવે આ ૪૪માં પદમાં ચેતના ચેતનને સંબોધીને કહે છે કે હું પણ તારી જ છું. તારી હતી અને તારી જ રહીશ. પુદ્ગલસંગે હું પુદ્ગલ થઈ નથી અને તેથી એ વિજાતીની વચ્ચે પણ હું ચેતના તો તને જ ઝંખી રહી છું કારણ એ વિજાતીમાં પણ હું તો નિત્યતા, પૂર્ણતા, સ્થિરતાને જ શોધી રહી છું. મારી ચેતનાની દશા તો રાવણની અશોકવાટિકામાં રામને માટે મૂરતી સીતા જેવી છે કે જે એના ચેતન સાથેના મિલાપને માટે શ્રી રહી છે.
તેરી હું તેરી હું કહું રી, ઈન બાતમેં દો તું જાને;
તો કરવત કાશી જાય, ચહું રી. તેરી...૧. ચિઘન સ્વરૂપ પરમ શુદ્ધ આનંદઘન ચેતવ્યપ્રભુને અને એની સહધર્મચારિણી ચેતનાને, ઉભયને પોતાની મિથ્યાત્વ - વિષમભાવની અવળી વિજાતીયવલણની મહામૂર્ખતા અને તેથી પરસ્પરની તરફ થયેલ ભૂલ સમજાઈ જતાં અરસપરસ જાણે એકબીજાની માફી — ક્ષમા પ્રાર્થતા ન હોય, એવાં એકબીજાને પ્રેમના લહેકાથી કહી રહ્યાં છે કે “તું મેરી !” “હું તેરી !” આવી પ્રેમળ લલિત ભાષાનો પ્રયોગ યોગીરાજજીએ આ બે પદમાં કર્યો છે તે સાંકેતિક
મતિજ્ઞાન જે વિકારી છે, તેને અવિકારી બનાવીએ તો તે જ્ઞાન કેવળજ્ઞાન રૂપે પરિણમે.