________________
આનંદઘન પદ - ૪૨
૩૦૧
હવે જ્યારે દેહનો મોહ જ નથી રહ્યો, દેહભાવ જ નથી રહ્યો તો કેમ કરીને દેહ ધારણ કરશું ? હવે તો દેહ રહેશે - ટકશે તો તે અદેહી બનવાને માટેનો કાયયોગ જ બનશે અને એ દેહ પડશે તો નવો દેહ એવો ધારણ કરીશું કે જે કાયયોગ બની અદેહી, અજન્મા, અમર બનાવે.
યોગીરાજજી સ્વયં તો સાધનાના માર્ગે છલાંગો ભરી રહેલાં ખૂબ ઊંચે ઉઠેલા સાધક હતાં. એમણે તો ગ્રંથિભેદ કરી નેસ્થયિક સમકિત પ્રાપ્ત કરી લીધું કે જ્યાં જ્ઞાન, દર્શન, ચારિત્રના અભેદ પરિણમનથી અભેદ પ્રવર્તન હતું. જેવું જ્ઞાન અને જેવું દર્શન - શ્રદ્ધાન હતું, તેને જ અનુરૂપ પરિણમન અને પ્રવર્તન હતું. આવી અભેદાવસ્થા, અપ્રમત્ત એવાં સાતમા ગણસ્થાનકે હોય છે, જ્યાં આત્મા પોતે, પોતાને પોતામાં વિકલ્પ વિના અનુભવે છે. ચતુર્થ ગુણસ્થાનકનું સમ્યમ્ દર્શન એટલે હું ત્રિકાલ શુદ્ધ ચેતન્યમય આત્મા છુ એવી નિરંતર જાગૃતિ - પ્રતીતિ - ખ્યાલ - શ્રદ્ધાન અને તે પૂર્વકનો વ્યવહાર.
જ્યારે આત્માનો આત્મામાં અભેદપણે આવાસ-પ્રવાસ-નિવાસ તે નિશ્ચયનયન સપ્તમ ગુણસ્થાનકનું સમ્યગદર્શન અને તે જ સમ્યગ ર્શન
અને તે જ સમ્યગ ચારિત્ર. ટૂંકમાં સપ્તમ ગુણસ્થાનકની અપ્રમત્તતા એટલે સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્રનો લોલીભૂત પરિણામ - એકાત્મ યોગ. આવા નિર્વિકલ્પ આત્માનુભવનના જ આ આનંદોદ્ગાર - લલકાર છે કે “અબ હમ અમર ભયે ન મરેગે.” આત્મા આત્મામાં અભેદભાવે સમાઈ જાય છે ત્યાં મૃત્યુનો ભય રહેતો નથી કારણ કે તે વખતે મૃત્યુનુજ મૃત્યુ થઈ ગયુ હોય છે. જીવને જે મરણ આવે છે તે દેહ ભાવને કારણે છે.
રાણ દસ જગબંધ કરત હૈ, ઈનકો નાસ કરે; મર્યો અનંત કાલમેં પ્રાની, સો હમ કાલ હરેંગે...અ..૨.
પદના આ બીજા ચરણમાં, પોતે કેમ કરતાં અમર થયાં તેનું કથન કરતાં, આપણને પણ એ અમરત્વની પ્રાપ્તિનો માર્ગ બતાડે છે.
જે રાગ અને દ્વેષ (દોસ)ના દોષો ઉત્પન્ન કરીને મિથ્યાત્વમોહ સંસારના (જગ - દુનિયાના) ફાંસલામાં મારા આત્માને બાંધતો હતો તે મિથ્યાત્વમોહ
શુદ્ધ પરિણમન એ જ મોક્ષમાર્ગ.