________________
૩૦૮
આનંદઘન પદ - ૪૩.
પદ - ૪3
(રાગ : ટોડી) મેરી તું મેરી તું વાંદી ડરેરી, કેરી | कहे चेतन समता सुनि आखर, और दैढ दिन जूठ लरेरी ॥ મેરી II एती तो हुँ जानु निहचे, रीचीचर न जरा उ जरेरी । जब अपनो पद आप संभारत, तब तेरेपर संग परेरी ॥ મેરી II औसर पाइ अध्यात्मशैली, परमातम निजयोग घरेरी । शक्ति जगावे निरुपम रूपकी, आनन्दघन मिली केलि करेरी | मेरी ॥३॥ | સ્વાનુભૂતિસંપન્ન એવા આત્માને પણ મોહભાવયુકત મલિન બુદ્ધિના વિચારરૂપ વિકલ્પોનું શમન પૂરેપૂરું ન થયું હોવાથી, પ્રમત્ત ગુણસ્થાનકે ચિત્તભાવો કંઈક અંશે ચલાયમાન રહેતો હોય છે અને તેથી સમતાનું તંત્ર ડહોળાતું હોય છે. આવે ટાણે સમતાને ધૈર્ય ધરવા, હિમત રાખવા માટે જે આશ્વસ્ત કરવા કે શાંતવન પહોંચાડવા પ્રયત્ન કરવા જોઈએ તે આ પદોતિથી યોગીરાજે, કરેલ છે.
મેરી તું મેરી તું કાંહી કરેરી; મેરી... કહે ચેતન સમતા સુનિ આખર, ઔર દૃઢ દિન જૂઠ લરેરી. મેરી..૧.
ચેતન એની ચેતના - સમતાને કહે છે કે હે સમતા ! સાંભળ (સુનિ), તું મારી (મેરી) છે અને મારી જ રહેવાની છે માટે હવે તું શા માટે (કાંઠી) આમ ડરેલી ડરેલી, ગભરાયેલી, હિજરાયેલી રહે છે ? હવે આ જે મારા નથી એ લોકો (ર) નો ખેલ એકાદેક દિવસનો કે એકબે દિવસનો જ છે. એ લોકોની બનાવટ - એમનું જૂઠ હવે કાંઈ ઝાઝું ટકવાનું નથી. એમની લહેરી એટલે કે લવારી યા ખટપટ અથવા લડત કે તકરાર એક દોઢ દિવસ પૂરતી જ છે. આ તો એ મોહ-માયા મમતાના છેલ્લાં હવાતિયા - તોફાન છે. ચેતનના ઘરમાંથી જવાની વેળાના - હકાલપટ્ટી થઈ રહી છે તેના, પ્રતિકારરૂપ
અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. નમ્રતા એ જ્ઞાનનું પાચન છે.