________________
આનંદઘન પદ - ૪૨
૨૯૯
પદ - ૪૨
(રાગ : સારંગ અથવા આશાવરી)
अब हम अमर भये न मरेंगे ॥ अ. || या कारन मिथ्यात दीयो तज, क्युंकर देह धरेंगे
૪. IIII. राग दोस जगबंध करत है, इनको नास करेंगे। मर्यो अनंत कालमें प्रानी, सो हम काल हरेंगे |
૪. IIII देह विनासी हुं अविनासी, अपनी गति पकरेंगे ।
नासी जासी हम थिर वासी, चोखे व्है निखरेंगे ॥ અ. રૂપા मर्यो अनन्त बार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे।
आनन्दघन निपट निकट अक्षर दो, नहीं समरे सो मरेंगे ॥ अ. ॥४॥
ચેતના-સમતાને પોતાના સ્વામી ચેતનનો વિરહ સતાવે છે. સ્વામી ચેતના સમતાના સ્વઘરને છોડીને વારંવાર મમતાના પર ઘરમાં જઈ બેસતા હોવાથી સમતાની ઊંઘ હરામ થઈ જાય છે. સાધનાના માર્ગે સમતા અને મમતાની - ચેતન્યતા અને જડતાની આ ખેંચાતાણીમાં યોગીરાજજીએ આત્મજ્ઞાન થતાં જે આત્મસંયમ - આત્માનુશાસન આવ્યું છે એના કારણે જે આત્મવિશ્વાસ જાગ્યો છે તેની ખુમારીની - ખુદ્દારીની અભિવ્યકિત એટલે અવધૂતયોગી આનંદઘનજી મહારાજાનું આ અમરપદગાન કે અબ હમ અમર ભયે ન મરેંગે... એમનું એ અમરગાન આપણું માર્ગદર્શન છે.
અબ હમ અમર ભયે ન મરેંગે. અ. યા કારન મિથ્યાત દીયો તજ, કહ્યુંકર દેહ ધરેંગે. અ..૧. યોગીરાજજી, આ પદોકિત દ્વારા ચેતનની મન:સ્થિતિનું પ્રકાશન કરે છે કે અણસમજ (અજ્ઞાન) ને કારણે આ સંસારમાં મેં અનંતા જન્મમરણ કર્યા. નિગોદના અંધારિયા ભમ્મરિયા કૂવામાં એક સ્વાસોશ્વાસમાં સાડી સત્તર વાર જમ્યો અને મર્યો. કોઈ અજ્ઞાત સિદ્ધની કૃપા થઈ અને એ સિદ્ધ થતાં, એમના
ક્યાં તો કાયસ્થત શુદ્ધ ચૈતન્યના લક્ષ્યથી કે પછી કાયાની અર્શીયમયતાથી ફાયાની મમતા તોડો