________________
આનંદઘન પદ - ૪૦
૨૮૩
દુનિયા જીતી નહિ જીતાશે તેમાં રાખે ચિત્ત, જશ અપયશમાં મન જો વર્તે તો નહિ થાય પવિત્ર; જગત ભાન ભૂલે રે, કારજ સહુ સહેજે સરે. દુનિયા
કંતડામેં કામણ, લોકડામેં શોક; એક હામે કેમ રહે? દૂધ કાંજી થોક. મીઠડો...૨. ચેતના કહે છે કે કંતડામાં - સ્વામી ચેતનમાં જ કામણ - આકર્ષણ છે કારણ કે ચેતનાનું સુખ - કામનાપૂર્તિ ચેતનથી છે. ચેતનના સમાગમથી ચેતનાને મળતું સુખ એ સ્વનું સ્વમાંથી નિપજતું સ્વસુખ, જે આવ્યા પછી ન જનારું અપ્રતિહત સુખ છે. એ આવનારું અને જનારું સાંયોગિક સુખ નથી પણ મળનારું - પોતાનું પોતામાંથી ઉભરનારું સુખ છે, તેથી ત્યાં શોકને કોઈ અવકાશ નથી. જ્યારે લોકનું લોકમાંથી મળનારું, લોકિક - દુન્યવી સુખ તો પરના માધ્યમથી આવી મળનારું પરાધીન સુખ છે. એ આવનારું છે તેથી જનારું પણ છે. તેથી એ દુન્યવી પદ્ગલિક સુખ પાછળ દુ:ખ હોવાથી એ દુ:ખરૂપ શોક નિપજાવનારું છે. એ તો જીવ દ્વારા, પર જડ વિનાશી પુદ્ગલના માધ્યમથી, પુદ્ગલમાં (પરમાં) સ્વબુદ્ધિ સ્થાપીને અને સુખબુદ્ધિ સ્થાપીને, મેળવાતું કાલ્પનિક સુખ છે. એ એક સરખું કાયમ (એક ઠામ) રહેનારું નથી અને સહુને સરખું મળતું નથી. દૂધ અને કાંજી (છાશ) નો સમુહ (થોક) હોય ત્યાં દૂધ, દૂધના સ્વભાવમાં ન રહે અને છાશ, છાશના સ્વભાવમાં ન રહે એટલે ન તો શુદ્ધ દૂધનો સ્વાદ આવે કે ન તો શુદ્ધ છાશનો સ્વાદ મળે. એમ જડ ચેતના (જીવ-અજીવ) ભેગાં થયેથી જીવ જીવપણામાં ન રહે અને જડ જડપણામાં ન રહે. એ બે ભેગાં થાય અને જે મળે તે મિશ્ર - ભેળસેળિયું - અશુદ્ધ જ હોય. એ કયાં તો દુઃખ મિશ્રિત સુખ હોય કે સુખ મિશ્રિત દુઃખ હોય. એ સુખની આગળ પાછળ અને સાથે દુઃખ જ હોય. એ તરૂપ અને કંકરૂપ જ હોય. અને જ્યાં દ્રઢ વિસખતા) હોય ત્યાં કંદ - યુદ્ધ - ઘર્ષણ જ હોય. વળી એ બે ભેગાં થયાં છે. ભેગાં થયાં હોય તે જુદાં પડ્યા વગર રહે નહિ અને તેમાં પાછા બન્નેના સ્વભાવ - ગુણધર્મ એકમેકથી વિરુદ્ધ છે. તેથી તે બે એક સ્થાને (કામ) એક સાથે કેમ કરી રહી શકે ?
સમ્યગ્દષ્ટિ ત્રણે કાળમાં દુર્જન નહિ બને.